જીવની જેટલી કીમત હીરા ઉદ્યોગપતીઓની છે એટલી જ કિંમત રત્નકલાકારોની છે, જાણો કોણે કરી પગાર શરૂ રાખી લોકડાઉનની માંગ

કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે કેટલાય લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. આપણે પણ આ પરિસ્થિતિમાં સાવચેત રહેવું…

કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે ત્યારે કેટલાય લોકો કોરોનાને કારણે મૃત્યુ પામી રહ્યા છે. આપણે પણ આ પરિસ્થિતિમાં સાવચેત રહેવું ખુબ જ જરૂરી છે. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જેમાં અમદાવાદ પછી સુરત શહેરનો નંબર આવે છે. ત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા આવેદન પાઠવવામાં આવેલ છે, ચાલો વિસ્તૃતમાં જાણીએ આપવામાં આવેલ આવેદન વિશે…

આજરોજ ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા સુરત જિલ્લા કલેકટરશ્રી મારફતે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ને આવેદનપત્ર પાઠવવામા આવ્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે કે હીરાઉધોગ સાથે જોડાયેલા રત્નકલાકારો ને 15 દિવસના પગાર સાથે હીરાઉધોગ મા સંપૂર્ણ પણે લોકડાઉન કરવામા આવે જેથી ફેલાઈ રહેલા કોરોનાના સંક્રમણને અટકાવી શકાય.

હાલમાં હીરાઉધોગમા રત્નકલાકારો પોતાના જીવને જોખમમાં મુકીને કામ કરી રહ્યા છે કેમ કે, હાલ ફરજીયાત કામ કરવુ એ તેમની મજબૂરી છે કેમ કે હીરાઉધોગ મા બેરોજગારી અને આર્થિકતંગીને કારણે પગારમા પણ ખુબ ઘટાડો જોવા મળ્યો છે જેમને કારણે રત્નકલાકારો પીડાઈ રહ્યા છે.

આ વૈશ્વિક મહામારીને કારણે ગયા વર્ષમાં સરકાર શ્રી દ્વારા જે લોકડાઉન જાહેર કરવા મા આવ્યુ હતુ ત્યારે સરકાર દ્વારા એવો પરિપત્ર જાહેર કરાયો હતો કે, દરેક કંપની એ પોતાના કામદારો ને લોકડાઉનનો પગાર ચૂકવવો પડશે પણ સરકાર પોતે જાહેર કરેલ પરિપત્રનો અમલ કરાવવામા નિષ્ફળ રહી હતી. જેમના કારણે રત્નકલાકારો સહિત મોટા ભાગના કામદારો ને લોકડાઉન નો પગાર મળ્યો નહોતો.

લોકડાઉનમાં જાહેર કરવામાં આવેલ પરિપત્ર મુજબ રત્નકલાકારોને તેમનો પગાર ન મળતા ખુબ જ આર્થિક સંકડામણમાં આવી ગયા હતા અને બેરોજગારી અને આર્થિકતંગીને કારણે ઘણા રત્નકલાકારોએ આત્મહત્યા કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

બીજી તરફ સરકારશ્રી દ્વારા પણ હીરાઉધોગના રત્નકલાકારો ને કોઈ પ્રકારની આર્થિક સહાય કે મદદ કરવામાં આવી નહોતી જેના કારણે રત્નકલાકારો ને સરકારે અને માલિકોએ રામ ભરોસે રાખ્યાનો અહેસાસ થયો હતો.

માટે આ વખતે રત્નકલાકારોને પગાર આપી ને હીરાઉધોગમા સંપૂર્ણ પણે લોકડાઉન જાહેર કરવા મા આવે એવી માંગણી કરવામા આવી છે. જો હીરાઉધોગ મા લોકડાઉન કરવામા નહીં આવે તો પરિસ્થિતિ હજી પણ ખુબ  ગંભીર થઈ શકે છે.

હીરાઉધોગ મા કામદારો એકબીજાથી ખૂબ નજીક રહી ને કામ કરે છે જેના કારણે સામાજિક અંતર જાળવી શકાતુ અને કોરોના વાયરસનુ સક્રમણ પણ વધારે ફેલાવવા નુ જોખમ રહે છે.

કોરોના વાયરસના કારણે હીરાઉધોગના તમામ રત્નકલાકારો ના જીવ જોખમમા છે એટલા માટે સરકાર અને ઉધોગપતિઓએ તાત્કાલીક રત્નકલાકારો ના અને હીરાઉધોગ ના હિતમા યોગ્ય નિર્ણય કરવા ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા નમ્ર વિનંતી કરવામાં આવી છે.

રત્નકલાકારો કામ કરવા માટે મજબૂર છે કેમ કે જો ઘરે રહે તો ભૂખે મરે અને જો કામે જાય તો કોરોનાથી મરે એવી પરિસ્થિતિ હાલ હીરાઉધોગના રત્નકલાકારોની છે માટે કોરોના વાયરસ ના સક્રમણ ને ફેલાતો અટકાવવા માટે રત્નકલાકારો ને 15 દિવસ નો પગાર આપવામાં આવે અને સંપૂર્ણ લોકડાઉન કરવામા આવે તેવો નિર્ણય ખૂબ જરૂરી છે સરકાર અને તેમના અધિકારીઓએ તથા ઉધોગપતિઓએ જવાબદારી સ્વીકારીને નિર્ણય લેવો જોઈએ. જો હજી તેઓ જવાબદારી પૂર્વક કામ નહીં કરે તો પરિસ્થિતિ ખૂબ ગંભીર થવાની શક્યતાઓ રહેલી છે.

હીરાઉધોગમા મોટા ભાગની કંપનીઓમાં કોરોના વાયરસની ગાઈડલાઈનનુ પાલન થતુ નથી. જેના કારણે રત્નકલાકારો અને એના પરિવાર ઉપર કોરોના વાયરસ નુ જોખમ વધારે પ્રમાણમાં છે.

કોરોના વાયરસ બાબતે સરકારને અનેક રજૂઆતો કરવા છતા પણ તેમના દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી. જેના પરિણામો આપણે સૌ ભોગવી રહ્યા છીએ અને જો હીરાઉધોગના રત્નકલાકારોમા કોરોના વાયરસનુ સક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયુ તો હોસ્પિટલમા પણ ક્યાંય જગ્યા નહીં મળે દવા અને ઓક્સિજનનો જથ્થો પણ ખૂટી પડશે. તેવી રજૂઆત ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત દ્વારા કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *