કોરોનામાં સાડા પાંચ મહીને જન્મેલી બાળકીને 79 દિવસ વેન્ટિલેટર અને 125 દિવસ ICU માં રહીને મળ્યું નવજીવન

આ કહેવત બધા જાણતા જ હશે કે, રામ રાખે એને કોણ ચાખે.., કોરોના કાળમાં આ કહેવત આજે એક નવજાત બાળકીએ સાથી ઠેરવી છે. ફટક સાડા પાંચ મહીને જન્મેલી બાળકીએ આશરે આશરે 6 મહિના હોસ્પીટલમાં રહીને મોતને મ્હાત આપી હતી. આ દરમિયાન જામનગરની આયુષ ન્યુબોર્ન કેર સેન્ટરે વધુ એક મોટી સફળતા મેળવી છે.

જાણવા મળ્યું છે કે, માતાના ગર્ભમાંથી સાડા પાંચ મહીને જન્મેલી બાળકીએ 79 દિવસ વેન્ટિલેટર પર અને 125 દિવસ એનઆઈસીયુમાં રહીને મોતને મ્હાત આપી છે. આ ગુજરાતનો આવો પ્રથમ કેસ હશે જેમાં એક નવજાત બાળકીએ 125 સુધી સતત સારવાર હેઠળ રહીને નવું જીવન મેળવ્યું હોય. જાણવા મળ્યું છે કે, 25 અઠવાડિયા એટલે કે, સાડા પાંચ મહિનાના ગર્ભમાંથી જન્મ પામેલી આ બાળકીનું વજન માત્ર 575 ગ્રામ હતું. આ વય જૂથ માટે સૌરાષ્ટ્રમાં કદાચ આ બાળકીની સૌથી લાંબી સફર NICUમાં રહી હશે.

અધૂરા મહીને જન્મતા બાળકોમાં આવતી તમામ મુશ્કેલીઓ આ બાળકીની અંદર પણ જોવા મળી હતી. પરંતુ, આયુષ હોસ્પિટલની ટીમ દ્વારા આ પડકાર જીલી બાળકીને નવજીવન આપવામાં આવ્યું છે. સગર્ભાવસ્થાના 25 અઠવાડિયે જન્મેલી 575 ગ્રામ વજન ધરાવતી બાળકીની 125 દિવસની લાંબી સફર બાદ તેનું વજન લગભગ 2200 ગ્રામ જેટલું વધ્યું હતું. 

આ ઉપરાંત બાળકને ફેફસાંની તકલીફ, હૃદયની નળી ખુલી રહેવી, આંતરડાની તકલીફ, શ્વાસની તકલીફ, ચેપ લાગવો, મગજની તકલીફ, આંખનો વિકાસ, લોહીના આવશ્યક તત્વોમાં ફેરફાર તેમજ ઉણપ વગેરે ડોક્ટર માટે અત્યંત પડકારરૂપ હતી. પરંતુ, અતિ આધુનિક ટેકનોલોજી તથા મશીનરી ધરાવતી આયુષ હોસ્પિટલ તથા સમગ્ર ટીમ દ્વારા આ પડકારને હરાવી અનેક મોટી સફળતા હાથ ધરવામાં આવી છે.

હાલમાં ચાલી રહેલા કોરોનાના કપરા કાળમાં દર્દીઓ 15 કે 20 દિવસ વેન્ટિલેટર પર રહેતા હોય છે. છતાં, પણ ક્યાંકને ક્યાંક તેઓ ભાંગી પડતા હોય છે. ત્યાં આ નાનકડું બાળપુષ્પ 79 દિવસ સુધી વેન્ટીલેટર પર રહી મોતને મ્હાત આપીને જાણે હાલારમાં એક નવો જ સુરજ ઉગાડતી હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જાણવા મળ્યું છે કે, ડો.નિકેશ પટેલ, ડો.રોનક ઓઝા, ડો. કલ્પેશ મકવાણા અને ડો.પાર્થરાજ ગોહિલની ટીમ દ્વારા નવજાતને નવજીવન આપવામાં આવ્યું.

બાળકીના માતા-પિતાએ આ અંગે જણાવ્યું હતું કે, ચાર સુધી પણ અમે અમારી ધીરજ ન ખોઈ અને આખરે અમને સફળતા મળી. અભિમન્યુનું સૂત્ર અમે યાદ રાખ્યુ હતું, “હિંમતથી હારજો પણ હિંમત ન હારજો” અનેક ઉતરાવ ચડાવ બાદ અને ડોક્ટરોની 24 કલાકની હાજરી આ બધું જ સફળતાના સોપાનો સર કરવા માટે કાફી હતું અને આખરે અમને સફળતા મળી.

આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આયુષ ન્યુબોર્ન કેર સેન્ટર આપણા જામનગર વિસ્તાર માટે ખરેખર એક આર્શીવાદ સમાન છે. સમાજમાં અધૂરા મહીને જન્મતા બાળકોની જો સમયસર ટ્રિટમેન્ટ કરવામાં આવે તો તેને નવું જીવન મળી શકે છે. અધૂરા મહીને જન્મતા આવા બાળકોને બચાવવા માટે થોડી લોકજાગૃતિ કેળવાય અને સમયસર તેની ટ્રીટમેન્ટ થાય એવી સમાજના નાગરિક તરીકે તેના માતાપિતાએ ભલામણ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *