વિધાનસભા ચૂંટણીમાં ગુજરાતના આ 10 ઉમેદવારો જે સૌથી વધુ લીડથી જીત્યા- સામે વાળાની ડીપોઝીટ કરી ડુલ

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપ(BJP)ને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની…

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા ચૂંટણી(Gujarat election 2022)ના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપ(BJP)ને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ(Congress) પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટી(AAP)નો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે. માત્ર તેટલું જ નહીં, ગુજરાતની જનતાના 52 % મત ભાજપને મળ્યા છે. ત્યારે આવો જોઈએ કે, કયા ઉમેદવારોએ જંગી બહુમતી સાથે જીત મેળવી છે.

આ 10 ઉમેદવારો સૌથી વધુ લીડથી જીત્યાં વિધાનસભા બેઠક:
સૌથી વધુ લીડથી જીતેલા ઉમેદવારમાં ઘાટલોડિયા વિધાનસભા બેઠક પરના ઉમેદવાર ભુપેન્દ્ર પટેલ 1,92,263 મતની લીડથી જીત્યા છે. બીજા નંબરે ચૌર્યાસી વિધાનસભા બેઠક પરના ઉમેદવાર સંદીપ દેસાઈ 1,81,846 મતની લીડથી જીત્યા છે. ત્રીજા નંબરે મજુરા વિધાનસભા બેઠક પરના ઉમેદવાર હર્ષ સંઘવી 1,16,675 મતની લીડથી જીત્યા છે. ચોથા નંબરે કાલોલ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ 1,15,679 મતની લીડથી જીત્યા છે. પાંચ નંબરે ઓલપાડ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર મુકેશ પટેલ 1,15,136 મતની લીડથી જીત્યા છે.

છ નંબરે રાજકોટ પશ્વિમ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર ડો.દર્શિતા શાહ 1,05,975 મતની લીડથી જીત્યા છે. સાત નંબરે એલીસબ્રીજ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર અમિત પી. શાહ 1,04,486 મતની લીડથી જીત્યા છે. આઠ નંબરે સુરત પશ્વિમ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર પુર્ણેશ મોદી 1,04,312 મતની લીડથી જીત્યા છે. નવ નંબરે વલસાડ વિધાનસભા બેઠક પરના ઉમેદવાર ભરત પટેલ 1,03,776 મતની લીડથી જીત્યા છે. દસ નંબરે માંજલપુર વિધાનસભા બેઠક પરના ઉમેદવાર યોગેશ પટેલ 1,00,754 મતની લીડથી જીત્યા છે.

12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *