ભુપેન્દ્ર સરકારની શપથવિધિ સમારોહમાં સામેલ થવા માટે પહોચ્યા આ દિગ્ગજ કલાકાર- જાણો શું કહ્યું

ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી…

ગુજરાત(Gujarat): ભારતીય જનતા પાર્ટી(BJP)ની પ્રચંડ જીત બાદ નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલી રહી છે.ત્યારે હવે ભૂપેન્દ્ર પટેલ(Bhupendra Patel) સતત બીજી વખત ગુજરાતના મુખ્યમંત્રી પદ તરીકેના શપથ લેશે. સોમવારે એટલે કે આજે બપોરે 2 વાગ્યે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં નવી સરકારનો શપથવિધિ સમારોહ યોજાશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Narendra Modi), કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ(Amit Shah), સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ(Rajnath Singh), ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા(JP Nadda) અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્ય પ્રધાનો અને ઘણા કેન્દ્રીય પ્રધાનો શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે.

શપથ સમારોહમાં ભાગ લેવા પહોચ્યા દિગ્ગજ કલાકાર:
મહત્વનું છે કે, શપથ સમારોહમાં ભાગ લેવા ફિલ્મ કલાકાર મનોજ જોશી પણ આવ્યા છે. મનોજ જોશીએ જણાવતા કહ્યું હતું કે, આજે અમારી માટે ખુશીનો દિવસ છે અને ગર્વની વાત છે કે 156 બેઠકો સાથે ભાજપ સરકાર બનાવવા જઈ રહી છે.

આ ધારાસભ્યને આવ્યા ફોન:
ઘાટલોડિયા ધારાસભ્ય – ભૂપેન્દ્ર પટેલ, મજુરા ધારાસભ્ય – હર્ષ સંઘવી, વિસનગર ધારાસભ્ય – ઋષિકેશ પટેલ, પારડી ધારાસભ્ય – કનુભાઈ દેસાઈ, જસદણ ધારાસભ્ય – કુંવરજીભાઈ બાવળિયા, ખંભાળિયા ધારાસભ્ય – મૂળુભાઈ બેરા, જામનગર ગ્રામ્ય ધારાસભ્ય – રાઘવજી પટેલ, ભાવનગર ગ્રામ્ય ધારાસભ્ય – પુરુષોત્તમ ભાઈ સોલંકી, સિદ્ધપુર ધારાસભ્ય – બળવંતસિંહ રાજપૂત, રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય – ભાનુબેન બાબરીયા, સંતરામપુર ધારાસભ્ય – કુબેરભાઈ ડીંડોર, દેવગઢ બારિયા ધારાસભ્ય – બચ્ચુ ખાબડ, નિકોલ ધારાસભ્ય – જગદીશ પંચાલ, ઓલપાડ ધારાસભ્ય – મુકેશ પટેલ, મોડાસા ધારાસભ્ય – ભીખુભાઈ પરમાર, કામરેજ ધારાસભ્ય – પ્રફુલ પાનસેરીયા અને માંડવી ધારાસભ્ય – કુંવરજી હળપતિને રાત્રે ફોન આવ્યા હતા.

મહત્વનું છે કે, શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. રવિવારના રોજ ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી પણ આવી ગયા હતા. આ શપથવિધિમાં 7 રાજ્યોના મુખ્યમંત્રી ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *