હવામાન વિભાગની આગાહી- ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ફરીવાર થશે ગરમીમાં વધારો

હવે લોકો આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે, એવામાં છેલ્લાં 3-4 દિવસથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ ચોમાસાને લઇને સતત આગાહી કરવામાં આવી રહી છે. હાલ ફરી હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું છે કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે. તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે.

રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત જોવા મળી રહી છે. પરંતુ હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આ સિવાય એ પણ આગાહી કરવામાં આવી છે કે, કચ્છ- સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી દરિયામાં તોફાની પવન ફૂંકાઈ શકે છે.

પોરબંદરનો દરિયો રફ બન્યાનું હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે. 40 થી 60 કિ.મી.પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી રહી છે. જેથી પોરબંદર પંથકના સાગરખેડુ-માછીમારોને આગામી તા.1 જૂન સુધી દરિયો ન ખેડવા અંગે સબંધિત વિભાગ દ્વારા સૂચન જારી કરાયુ છે.

કેરળમાં ચાલુ સાલ ચોમાસુ વહેલું બેસી ગયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ચોમાસાના આગમનના એંધાણરૂપ પવનો અને ભેજયુક્ત હવા સહિતની અસરો સૌરાષ્ટ્રમાં પણ દેખાવા લાગી છે અને તેજ પવન ત્રાટકવા લાગ્યા છે. આથી આકરા તપમાંથી રાહત પણ મળી છે પરતું બફારામાં વધારો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *