ફરીએકવાર સાસરીયાઓના ત્રાસથી લેવાયો વધુ એક દીકરીનો ભોગ, પરિવારજનોમાં છવાયો દુઃખનો માહોલ

હાલમાં આત્મહત્યાના કિસ્સા સતત વધી રહ્યા છે આ દરમિયાન ફરીવાર એક પરણીતાએ આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. રમેશનગરમાં પરિણીતાએ ફાંસી લગાવીને જીવન ટુંકાવ્યું હતું. મૃતકના પરિજનો દ્વારા દહેજ ત્રાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસમાં સાસરિયા પક્ષની વિરુદ્ધ કાયદાકિય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. પોલીસ દ્વારા ફરિયાદ નોંધાવીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે પાણીપતની જનરલ હૉસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે.

જયારે સતત મહિલાઓ પર અત્યાચારના મામલા સામે આવી રહ્યા છે. ત્યારે ફરીવાર જિલ્લાના રમેશનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સતત સાસરિયા પક્ષ દ્વારા દહેજ માટે ત્રાસ આપવાથી પરેશાન થઈને 25 વર્ષીય પરિણીતાએ ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. ઘટનાની જાણ થતા જ મૃતકાના પરિજનો પાણીપત પોલીસ પાસે પહોંચી ગયા હતા.

મૃતકાના પરિજનોએ આરોપ લગાવ્યો કે, લગ્ન બાદથી જ તેમની દીકરીને સાસરિયામાં તેના પિયરથી લાખો રૂપિયા અને ગાડી લાવવાની માંગ કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત પરણીતા સાથે મારઝૂડ પણ કરવામાં આવતી હતી. પહેલા પણ અનેકવાર પરણીતાએ આ ફરિયાદ પોતાના પરિજનોને કરી હતી. જેથી હવે મૃતકાના પરિજનોએ ફરિયાદ નોંધાવીને સાસરિયા પક્ષની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

આ સમગ્ર મામલા પર ડીએસપી સતીશ કુમારે કહ્યું કે, મામલાની તપાસ કરવામાં આવી રહી છે. જે પણ દોષી હશે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત હાલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જનરલ હૉસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *