ભારત માટે ગૌરવની વાત- દેશના સ્વાસ્થ્ય મંત્રી વિશ્વ આરોગ્ય સંસ્થામાં શોભાવશે આ હોદ્દો

કોરોના સંકટ દરમિયાન દેશભરમાં આરોગ્યની વ્યવસ્થા માટે જવાબદાર એવા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો.હર્ષવર્ધન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) ના 34 સભ્યોના કાર્યકારી બોર્ડના આગામી અધ્યક્ષ બનશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, હર્ષવર્ધન 22 મેના રોજ કાર્યભાર સંભાળશે. તેઓ જાપાનના ડો. હિરોકી નકતાનીનું સ્થાન લેશે.

મંગળવારે 194 દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાં, ભારત તરફથી દાખલ કરેલા હર્ષવર્ધનનું નામ બિનહરીફ ચૂંટાયું હતું. અગાઉ, ડબ્લ્યુએચઓનાં દક્ષિણ-પૂર્વ એશિયા ગ્રૂપે ભારતને ત્રણ વર્ષ માટે બોર્ડના સભ્યોમાં શામેલ કરવાની સંમતિ આપી હતી.

ભારત પાસે ચેરમેન પદ એક વર્ષ માટે રહેશે

અધિકારીઓના જણાવ્યા અનુસાર, 22 મેના રોજ એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠક મળવાની છે. આમાં હર્ષવર્ધનની પસંદગી ચોક્કસ છે. બોર્ડના અધ્યક્ષ પદ એક વર્ષના આધારે ઘણા દેશોના જુદા જુદા જૂથોમાં આપવામાં આવે છે. ગયા વર્ષે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ભારત આગામી એક વર્ષ સુધી આ પદ સંભાળશે. હર્ષવર્ધન એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠક વર્ષમાં બે વાર થાય છે. પ્રથમ જાન્યુઆરીના અંતમાં અને બીજી મેના અંતમાં આ બેઠક યોજવામાં આવે છે.

વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાંથી પસંદ કરવામાં આવે છે બોર્ડના સભ્યો.

WHO એક્ઝિક્યુટિવ બોર્ડમાં 34 સભ્યો આરોગ્ય ક્ષેત્રના કુશળ નિષ્ણાતો છે. તે 194 દેશોની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીમાંથી 3 વર્ષ માટે બોર્ડમાં ચૂંટાય છે. ત્યારબાદ આ સભ્યોમાંથી એક સભ્ય એક વર્ષ માટે અધ્યક્ષ બને છે. આ બોર્ડનું કામ આરોગ્ય વિધાનસભાના નિર્ણયો અને નીતિઓને તમામ દેશોમાં યોગ્ય રીતે લાગુ કરવાના હોય છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *