“પોલીસ કમિશ્નર અને કલેકટર ભગવાન જેવુ વર્તે છે, સામાન્ય લોકોની પહોંચની બહાર છે”: Gujarat Highcourt

ગતરોજ ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) પોલીસ કર્મચારીઓસામે ફરિયાદ નોંધવા માટે હેલ્પલાઈન નંબર જાહેર કરવાની રીત પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાઈકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર જેવા અધિકારીઓ “દેવની જેમ વર્તે છે” અને સામાન્ય લોકોની પહોંચની બહાર છે. ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ પી માયીની ડિવિઝન બેંચેસરકારને નિર્દેશ આપ્યો છે કે તે જાહેર જનતાને ફરિયાદ સેલ અને તેના દ્વારા સ્થાપિત હેલ્પલાઇન નંબર વિશે સ્પષ્ટ રીતે જણાવે.

હકીકત પણ એ છે હાલમાં ગુજરાતમાં સામાન્ય નાગરિક માટે સ્વાગત કાર્યક્રમ થકી મુખ્યમંત્રી અને અપોઈન્ટમેંટ વગર ગૃહમંત્રી ને મળવું સહેલું છે, પણ પોતાના વિસ્તારના મામલતદાર, કલેકટર કે PI, ACP, DCP, કમિશ્નર, એસપીને મળવું અઘરૂ થઇ ગયું છે. કેટલાક વિસ્તારમાં તો ફરિયાદીને અધિકારીના કેબીનમાં મોબાઈલ લઈને જવાની છૂટ નથી અપાતી આનું કારણ શું હોઈ શકે? ઘણા પોલીસ સ્ટેશન તો એવા છે જ્યાં પોલીસ ઇન્સ્પેક્ટરને ખબર નથી હોતી કે પોતાના પોલીસ સ્ટેશનમાં શું ચાલી રહ્યું છે. ઘણી વખત અરજદારોને કલાકો સુધી બેસી રહેવું પડ્યું હોય તેવા દાખલા પણ સર્જાયા છે.

હાઈકોર્ટની (Gujarat Highcourt) આ ટીપ્પણી મુદ્દે વાત કરીએ તો અમદાવાદમાં મોડી રાત્રે મુસાફરી કરી રહેલા દંપતી પાસેથી ટ્રાફિક કોન્સ્ટેબલોએ કથિત રીતે પૈસા પડાવી લીધાની ઘટનાના સમાચારના આધારે હાઇકોર્ટ સુઓ મોટો જાહેર હિતની અરજી (PIL)ની સુનાવણી કરી રહી હતી. ચીફ જસ્ટિસ અગ્રવાલે કહ્યું, “શું તમે અપેક્ષા કરો છો કે એક સામાન્ય નાગરિક તમારી ઑફિસની સામે ઊભો રહે? તેને ફરિયાદ ઑફિસમાં કોણ પ્રવેશવા દેશે? તમારા ડીએમ (જિલ્લા મેજિસ્ટ્રેટ) અને કમિશનર ભગવાનની જેમ, રાજાની જેમ વર્તે છે. ચાલો કરીએ. અમને કંઈપણ કહેવા માટે ઉશ્કેરશો નહીં, આ જમીની વાસ્તવિકતા છે.” જસ્ટિસ સુનીતા અગ્રવાલે ફરિયાદ સેલને જે રીતે પ્રચાર કરવામાં આવ્યો તેના પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, “સામાન્ય નાગરિક માટે પોલીસ સ્ટેશનમાં પ્રવેશવું સરળ નથી” અને કમિશનર અથવા ડીએમની ઑફિસ “સંપૂર્ણપણે તેમની પહોંચની બહાર છે.

હાઈકોર્ટે અગાઉ અમદાવાદ પોલીસ મિશનરને આદેશ આપ્યો હતો કે નાગરિકો માટે એક હેલ્પલાઈન નંબર અને ગ્રીવન્સ સેલની સ્થાપના કરવામાં આવે જેથી તેઓ ભૂલ કરનાર પોલીસ કર્મચારીઓ અથવા અધિકારીઓ સામે ફરિયાદ કરી શકે. કોર્ટ કમિશનરને પણ આ નંબર જાહેર કરવા માટે કહેવામાં આવ્યું હતું જેથી લોકો તેના વિશે જાણે અને જરૂર પડે ત્યારે તેનો ઉપયોગ કરે. કોર્ટે કહ્યું હતું કે વ્યક્તિએ જાણવું જોઈએ કે ફરિયાદ સેલનો સંપર્ક કેવી રીતે કરવો અને કોનો સંપર્ક કરવો. ઓગસ્ટમાં પ્રકાશિત થયેલા એક સમાચાર મુજબ, બે ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલ અને એક ટ્રાફિક બ્રિગેડના જવાને વિદેશમાં રજાઓ ગાળ્યા પછી એક વર્ષના પુત્ર સાથે અમદાવાદ એરપોર્ટ પરથી કેબમાં ઘરે જઈ રહેલા એક દંપતિને અટકાવ્યા અને તેમને કાયદેસરની ધમકી આપવામાં આવી.

એક ટ્રાફિક કોન્સ્ટેબલે તેમને છોડાવવા માટે રૂ. ૨ લાખની માંગણી કરી હતી, પરંતુ આખરે રૂ. ૬૦,૦૦૦માં સમાધાન થયું હતું. તે કથિત રીતે પતિને એટીએમમાં લઈ ગયો અને તેને રોકડ ઉપાડવા દબાણ કર્યું, જ્યારે તેનો ભાગીદાર મહિલા અને બાળક સાથે કેબમાં રહ્યો, અહેવાલમાં જણાવાયું છે. હાઈકોર્ટે આ સમાચારની નોંધ લીધી અને આ મુદ્દે પીઆઈએલ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *