અંધશ્રદ્ધાની આડમાં લેવાયો માસુમનો ભોગ: જામનગરમાં ભાઈ બહેને 15 વર્ષની બહેનને નિર્વસ્ત્ર કરી છરી-લાકડાના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા

Brother and sister killed their 15 year sister in Jamnagar: હાલ ગુજરાતભરમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. લોકો ગરબાના તળે ગુમી રહ્યા છે. અને ઘણા…

Brother and sister killed their 15 year sister in Jamnagar: હાલ ગુજરાતભરમાં નવરાત્રીનો માહોલ ચાલી રહ્યો છે. લોકો ગરબાના તળે ગુમી રહ્યા છે. અને ઘણા લોકો માતાજીની આરાધના પણ કરી રહ્યા છે.નવરાત્રીમાં કન્યા પૂજનનું પણ ખુબ મહત્વનું છે.પરંતુ જામનગરમાં અંધશ્રદ્ધાની એવી ઘટના બની છે કે જેને કારણે તમારું હ્રદય કંપી ઉઠે. ઘટના જાણે એમ છે કે, છોકરીના મોટા ભાઈ અને બહેને મળીને તેની હત્યા કરી નાખી છે.15 વર્ષની ફૂલ જેવી બાળકીનો વાંક માત્ર એટલો હતો કે તેના મોટા ભાઈ બહેન તેને અપશુકનિયાળ માનતા હતા.

માતાજી ક્યારેય નાની બહેનને મારવાનું કહેતા હશે?
જામનગરની ધ્રોલની સીમમાં એક શ્રમિક પરિવાર રહેતો હતો, નવરાત્રી શરૂ થતાં જ પરિવારે માતાજીના નામે ધૂણવાનું શરૂ કર્યું હતું. મોટી બહેન સવિતા તડવીએ ધૂણતા ધૂણતા જણાવ્યું છે કે તેની નાની બહેન જ અપશુકનિયાળ છે અને તેના કારણે જ ઘરમાં સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

રાક્ષસ બની ગયા બહેન ભાઈ
રાકેશ તડવી અને સવિતા તડવી બંને ભાઈ બહેનોના માથે જાણે રાક્ષસ અને પિશાચ ચડી ગયા હોય તેમ પોતાની નાની બહેનને નિર્વસ્ત્ર કરી. પોતાની જ સગી નાની બહેન પર ભાઈએ છરીના ઘા માર્યા, બહેન પણ પાછળ ન રહી અને લાકડાના ઘા મારતી રહી. આ 15 વર્ષની કિશોરી પોતાના જીવ બચાવવા માટે બૂમો પાડતી રહી પણ કોઈ જ બચાવવા માટે આવ્યું જ નહીં.

આ કિશોરીનું આખું શરીર લોહીલુહાણ થઈ ગયા પછી પણ આ ભાઈ બહેન રોકાયા નહીં અને તેને ઢસડીને બહાર લઈને આવ્યા, દીવાલમાં માથું પછાડ્યું અને અંતે દીકરીનું મૃત્યુ થયું. વહેલી સવારે પોલીસને જાણ કરતા પોલીસે દીકરીનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો છે અને ખૂંખાર ભાઈ બહેન રાકેશ તથા સવિતા સામે ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *