સુરતના કડોદરામાં અઢી વર્ષના બાળકની હત્યા કર્યા બાદ માતાએ ચોથા માળેથી કુદી કરી આત્મહત્યા

સુરત(ગુજરાત): આજકાલ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. અસામાજિક તત્વોને તો જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર સુરતના…

સુરત(ગુજરાત): આજકાલ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. અસામાજિક તત્વોને તો જાણે પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે. આ દરમિયાન ફરીવાર સુરતના કડોદરા વિસ્તારમાં આવેલા ગ્રીન સિટીના યુનિક એપોર્ટમેન્ટમાં રહેતી સગર્ભાએ ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ આપઘાત કર્યા બાદ તેના ઘરમાં તપાસ કરતાં તેનો અઢી વર્ષનો મૃત બાળક પણ મળી આવ્યો હતો. આ બાબતે પ્રાથમિક તબક્કે મહિલાએ પુત્રની હત્યા કર્યા બાદ કૂદીને આપઘાત કર્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હાલ કડોદરા પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, આપઘાત કરનારી મહિલાનું નામ વનિતાબેન પાંડે અને પુત્રનું નામ ક્રિષ્ના છે. જાણવા મળ્યું છે કે, સગર્ભા વનિતાએ પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. મહિલાના આપઘાત બાદ બાળકનો મૃતદેહ બંધ ઘરમાંથી મળી આવ્યો હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોએ વધુમાં જણાવ્યું કે, પુત્રની હત્યા બાદ મહિલાએ પોતાની નણંદ પર પુત્રની હત્યાનો આરોપ લગાવી ચોથા માળેથી મોતનો કૂદકો માર્યો.

આ બાબતે રાજેશ પાંડેએ જણાવ્યું હતું કે, આજે સવારે ભાભીએ આવું પગલું કેમ ભર્યું એ જ ખબર નથી પડતી. તેઓ યુપીના રહેવાસી છે અને ભાઈ મહેશના લગ્ન બાદ ભાઈ-ભાભીને બે સંતાન મોટો પુત્ર આર્યન છે જે હાલ ઘરે છે અને નાનો પુત્ર ક્રિષ્ના જેનું મોત નીપજ્યું છે. ભાઈ મહેશ ટેક્સટાઇલ્સમાં માસ્ટર છે અને તે 10 વર્ષથી કડોદરમાં રહે છે. ભાભીના આપઘાત અને માસૂમ ક્રિષ્નાના મોતનું કારણ તો પોસ્ટમોર્ટમ બાદ જ બહાર આવશે. હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *