ગુજરાતમાં ઝનૂની પ્રેમીએ વધુ એક ગ્રીષ્માનો ભોગ લીધો, પરણિત મહિલાને આપ્યું દર્દનાક મોત

ગાંધીનગર(ગુજરાત): સુરત(Surat)ની ગ્રીષ્માની હત્યા બાદ હત્યા તો જાને ગૂનેગારો માટે એક ખેલ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. હાલમાં પ્રેમ સંબંધ મુદ્દે મહિલાઓની હત્યાના બનાવ અટકવાનું નામ લેતું નથી. ત્યારે વધુ એક હત્યા(Murder)નો બનાવ ગાંધીનગર(Gandhinagar)ના બોરીજ(Borij) ગામથી સામે આવ્યો છે. જેમાં એકતરફા પ્રેમીએ દારૂના નશામાં પરિણીતાની ગળુ દબાવીને હત્યાં કરી હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ, ગાંધીનગરના બોરીજ ગામે ગઈકાલે મધરાત્રે પરિણીતાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. ગામમાં કડિયા કામ કરવાં આવતાં શખ્સ દ્વારા પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ઘરમાં ઘૂસી હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં પ્રણય ત્રિકોણ જવાબદાર હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા હત્યારાને ઝડપી પાડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.

ગાંધીનગરમાં બોરીજ ગમે રહેતી નીકીતા ઠાકોર નામની પરિણીતા ગઈકાલે ઘરમાં એકલી હતી. જ્યારે તેના પરિવારજનો મંદિરે ગયા હતા. જેની એકલતાનો લાભ ઉઠાવી અહીં કડિયા કામ કરવાં માટે આવતા રાજુ નામના શખ્સે તેના ઘરમાં ઘૂસી પરિણીતાનું ગળુ દબાવીને હત્યાં નીપજાવી હતી.

જાણવા મળ્યું છે કે, રાત્રીના અગિયાર વાગ્યાના અરસામાં પરિણીતાના જેઠ ફુલાજી ઠાકોર મંદિરથી ઘરે આવ્યા હતા અને થોડાક સમય પછી તેમની પત્ની પણ ઘરે આવી હતી. ત્યારબાદ દંપતી પાણી પીને સૂઇ ગયા હતા. આ દરમિયાન, મધરાત્રે તેમની ઓરડીનાં પાછલા દરવાજામાંથી એક શખ્સ દોડીને ભાગવા લાગ્યો હતો. એટલે ફુલાજી એકદમ જાગીને બહાર ભાગી રહેલા શખ્સને ઝડપી લઈ ચાર પાંચ લાફા મારી દીધા હતા. ત્યારબાદ દારૂના નશામાં રહેલો શખ્સ કડિયા કામ કરતો રાજુ હોવાનું જાણવા મળ્યું હતું. આ દરમિયાન, ઘરના અન્ય લોકો પણ દોડી આવ્યા હતા. પરંતુ, રાજુ ફુલાજીને ધક્કો મારીને ભાગી ગયો હતો. ત્યારબાદ નાના ભાઇના ઘરમાં જોતા નીકીતા મૃત હાલતમાં મળી આવી હતી.

આ બનાવની જાણ કરતાં પોલીસ તાતકાલીક ઘટના સ્થળે દોડી ગઇ હતી, જ્યાં ઘરની બહાર પહેરો ભરતા બે શકમંદ ઈસમોને ઉઠાવી લીધા હતા. આ અંગે હાલમાં પોલીસ દ્વારા મૃતકના પોસ્ટમોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. જોકે, પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, પ્રણય ત્રિકોણના કારણે હત્યા થઈ હોય તેવું અનુમાન છે. હત્યારો દારૂ પીને ઘરમાં ઘૂસયો હતો. મૃતકના પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે તેણી પર દુષ્કર્મ થયું છે કે નહીં તેની જાણ થયા પછી જ દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવશે. હાલમાં હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *