વલસાડમાં વાંકી નદીના કિનારે થેલામાંથી ખૌફનાક હાલતમાં લાશ મળી આવતા ચારેબાજુ ચકચાર

વલસાડ(Valsad): હત્યા (Murder)ની ઘટનાઓ ખુબ જ વધી રહી છે. આજકાલ નજીવી બાબતે લોકો મોતને ઘાટ ઉતારી દેતા હોય છે. આવી જ એક ચકચારી ઘટના વલસાડ (Valsad)માંથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર, વલસાડ તાલુકાના જુજવા પથારી ખાતે આવેલી વાંકી નદીમાં 2 દિવસ પહેલા હત્યા કરી થેલામાં બાંધેલી હાલતમાં યુવકની લાશ મળી આવી હતી. આ અંગે આજુબાજુમાં કામ કરતા શ્રમિકો (Workers)એ તાત્કાલિક ગામના સરપંચ અને વલસાડ પોલીસ રૂરલ પોલીસને ઘટનાની જાણ કરી હતી. તેથી હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

વાસ્તવમાં, જૂજવા પાથરી દત્ત મંદિર પાછળ આવેલી વાંકી નદી પાસે ત્યાં કામ કરતા શ્રમિકોને નદીમાં થેલામાં બાંધેલી હાલતમાં અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. શ્રમિકોએ ગામના સરપંચ અને વલસાડ રૂરલ પોલીસની ટીમને ઘટનાની જાણ કરી હતી. વલસાડ રૂરલ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી નદીમાં થેલામાં બાંધેલી હાલતમાં મળેલી લાશનો કબ્જો મેળવી પી.એમ માટે મોકલી દીધી છે. તેમજ આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

હત્યા ખુબ જ ભયાનક રીતે કરવામાં આવી હતી. તેથી સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. વલસાડ રૂરલ પોલીસે લાશનો ફોટો આજુબાજુના ગામના અગ્રણીઓને મોકલી અજાણ્યા ઇસમની લાશની ઓળખ કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. તેમજ પોલીસે લાશની ઝીણવટ ભરી રીતે તાપસ કરતા તેની પાસેથી માત્ર 30 રૂપિયા મળ્યા હતા. અજાણ્યા યુવકીની ઓળખના કોઈ પુરાવા મળ્યા ન હોવાથી વલસાડ રૂરલ પોલીસની ટીમે અજાણ્યા યુવકના વાલી વારસોને શોધવા ઓળખ કરી પરિવાર જનો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *