એકના એક સંતાનના પિતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ ટૂંકાવ્યું જીવન- પરિવારમાં છવાયો માતમ

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના રામપુરાભંકોડા(Rampurabhankoda)માં એક સંતાનના પિતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મનમેળ…

ગુજરાત(Gujarat): અમદાવાદ(Ahmedabad)ના રામપુરાભંકોડા(Rampurabhankoda)માં એક સંતાનના પિતાએ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લેતા પરિવાર સહિત સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. મનમેળ ન હોવાને લીધે છેલ્લા છ માસથી પત્ની અને પુત્રી બંને જણા કડી તાલુકાના બુડાસણ ગામે રહેતા હતા. આ બનાવ અંગેની ફરિયાદ દેત્રોજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવી છે.

રામપુરાભંકોડામાં રહેતા ગીરીશભાઈ પરસોતમભાઈએ ઘરે મકાનના દરવાજાની જાળી પર કપડું બાંધી ગળે ફાંસો ખાઈ મોત વ્હાલું કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે. નજીકમાં રહેતા કુટુંબીક ભાઈ સાંજના સમયે જમવાનું કહેવા જવા તેના ઘરે પહોંચ્યા હતા પરંતુ પોતાના ઘરમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેઓને પણ આઘાત લાગ્યો હતો. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર છેલ્લા છ માસથી તેમના પત્ની અને પુત્રી મનમેળ ન હોવાના લીધે કડી તાલુકાના બુડાસણ ગામમાં રહેતા હતા.

મળતી માહિતી અનુસાર, ઘટનાની જાણ દેત્રોજ પોલીસને થતાં બી એચ ઝાલા પી.એસ.આઇ દેત્રોજ પોલીસ સ્ટેશન સહિતની પોલીસ ટુકડી ઘટનાસ્થળે પહોંચી આવી હતી. યુવકના મૃતદેહને નીચે ઉતારી દેત્રોજ સરકારી હોસ્પિટલમાં પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું. ત્યાર પછી યુવકના મૃતદેહને વાલીવારસોને સોંપવામાં આવી હતી. હાલમાં વધુ પોલીસ તપાસ બી.એચ. ઝાલા પી.એસ.આઈ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *