જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભારતીય સેનાને મળી મોટી સફળતા- બે આંતકીઓના ઢીમ ઢાળી દીધા

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં બુધવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પુલવામાના કસબયાર વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે.…

જમ્મુ-કાશ્મીર(Jammu-Kashmir)ના પુલવામા(Pulwama) જિલ્લામાં બુધવારે વહેલી સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ થઈ હતી. પુલવામાના કસબયાર વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. આ એન્કાઉન્ટરમાં પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ(Jaish-e-Mohammed)ના 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે માર્યા ગયેલા આતંકવાદીઓમાં જૈશ-એ-મોહમ્મદના ટોચના કમાન્ડર અને આઈઈડી નિષ્ણાતનો સમાવેશ થાય છે.

કાશ્મીરના મહાનિરીક્ષક વિજય કુમારે જણાવ્યું હતું કે જેઈએમના ટોચના કમાન્ડર યાસિર પારે અને એક આઈઈડી નિષ્ણાત એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે. IED નિષ્ણાતની ઓળખ વિદેશી આતંકવાદી ફુરકાન તરીકે કરવામાં આવી છે. તેણે જણાવ્યું કે આ બંને આતંકીઓ ઘણી આતંકી ઘટનાઓમાં સામેલ હતા. આ એન્કાઉન્ટરમાં કોઈ સુરક્ષા દળ કે નાગરિક જાનહાનિના અહેવાલ નથી.

એન્કાઉન્ટર બાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો છે. અન્ય કોઈ આતંકવાદીઓ પણ અહીં છુપાયેલા છે કે કેમ તે શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તમને યાદ અપાવી દઈએ કે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ વિરુદ્ધ સુરક્ષા દળોનું ઓપરેશન ચાલી રહ્યું છે. સોમવારે જ સરકારે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી હુમલાની 1,033 ઘટનાઓ નોંધાઈ હતી અને 2019માં સૌથી વધુ 594 ઘટનાઓ નોંધાઈ હતી.

સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે ગયા વર્ષે કેન્દ્રશાસિત પ્રદેશમાં 244 આતંકવાદી હુમલા થયા હતા જ્યારે ચાલુ વર્ષમાં 15 નવેમ્બર સુધી આવી 196 ઘટનાઓ બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *