શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનો મોટો નિર્ણય- વિધાર્થીઓના ગણવેશ અને પુસ્તકોને લઈને આપ્યું મહત્વનું નિવેદન

ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)ને વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મોટી જાહેરાત કરી છે. બિન અનુદાનિત ખાનગી શાળાઓના મામલે શિક્ષણ વિભાગે(Department of Education) વિદ્યાર્થીઓ…

ગુજરાત(Gujarat): રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી(Jitu Vaghani)ને વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતમાં મોટી જાહેરાત કરી છે. બિન અનુદાનિત ખાનગી શાળાઓના મામલે શિક્ષણ વિભાગે(Department of Education) વિદ્યાર્થીઓ તેમજ વાલીઓનાં હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. ખાનગી શાળાઓ હવે વિદ્યાર્થીઓને ચોક્કસ દુકાનોમાંથી ગણવેશ, બુટ, પુસ્તકો, સાહિત્ય અને સ્ટેશનરી ખરીદવા દબાણ કરી શકશે નહીં.

અનિયમિતતા આચરવામાં આવતી ખાનગી શાળાઓ સામે 10000 થી 25000 સુધીના દંડની શિક્ષણ વિભાગ દ્વારા જોગવાઈ કરવામાં આવી છે. 5 કે તેથી વધારે વખત અનિયમિતતા આચરવામાં આવનાર શાળાઓની માન્યતા રદ્દ કરી દેવામાં આવશે. શિક્ષણપ્રધાન દ્વારા વાલીઓને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈ શાળા દબાણ કરે તો જિલ્લાના શિક્ષણાધિકારીનો સંપર્ક કરવામાં આવે અને શિક્ષણ સંસ્થા સામે ફરિયાદ કરવા માટે આગળ આવે.

શાળાઓની મનમાની નહીં ચલાવી લેવાય:
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના આ મહત્વપૂર્ણ અનેર મોટા નિર્ણય પછી હવે રાજ્યમાં ખાનગી શાળાઓની મનમાની ચલાવી લેવામાં નહી આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, એવી ઘણી ખરી શાળાઓ છે, જેના અંગે વાલીઓ દ્વારા આ અંગે ફરિયાદ કરવામાં આવી હતી.

આવી શાળાઓ સામે ફરિયાદો ઉઠી હતી કે આ શાળાઓ પુસ્તકો, ગણવેશ અને અન્ય સામગ્રીઓ ચોક્કસ દુકાનેથી ખરીદવા માટે પ્રેશર કરતી હતી. પરંતુ શિક્ષણ વિભાગના આ નિર્ણયથી હવે આવી સ્કૂલોની મનમાની ચલાવી લેવામાં નહી આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *