ગરીબોના મસીહા સાબિત થયા ખજુર ભાઈ: મદદ મળતા જ દાદીમાં થયા ભાવુક, કહ્યું કે: “તમે ભગવાન બનીને આવ્યા અને મારી મદદ કરી”

ગુજરાત: ગુજરાતના દરિયા કિનારાવાળા વિસ્તાર થોડા મહિના પહેલા એટલે સૌરાષ્ટ્રની ધરતી ઉપર તાઉતે વાવાઝોડાનો કહેર વરસાવી હતી. ઘણા લોકો આ વાવાઝોડામાં બેઘર બની ગયા હતા. તેમાં ઘણા લોકોના ઘર પણ પડી ગયા હતા. આવામાં કેટલાય લોકો આ ગરીબ લોકોની મદદ કરવા માટે આગળ આવી રહ્યા હતા.

તે દરમિયાન આપણને હસાવનારા ખજુરભાઈ પણ છેલ્લા દોઢથી બે મહિનાથી સૌરાષ્ટ્રની ધરતી ઉપર રહીને લોકોની મદદ કરે છે, તેઓએ બેઘર બનેલા ઘણા લોકોને નવા ઘર બનાવી આપ્યા છે. બીજા એવા કેટલાય લોકો પણ છે જેઓને રાશન અને પૈસાથી મદદ કરી હતી. તેવામાં ખજુરભાઈએ એક દાદીમાને પણ નવું ઘર બનાવી આપ્યું હતું.

રાજુલામાં આ દાદીમા રહે છે કે, આ દાદીમા એકલા જ રહે છે તેમના સંબધીમાં બીજું કોઈ નથી. તેમનું પણ ઘર વાવાઝોડામાં પડી ગયું હતું. ખજુરભાઈએ તેમને પણ નવું ઘર બનાવી આપ્યું હતું, જયારે ઘર બની ગયું ત્યારે ઘર જોતાંની સાથે દાદીમાખુશ ખુશાલ થઇ ગયા.

ઘર જોતાની સાથે જ દાદીમાએ જણાવ્યું હતું કે, જ્યાં સુધી તમે મારા દીકરાઓ બેઠા છો ત્યાં સુધી મારે કઈ જ ચિંતા નથી. આ ઘર મને ખુબ જ ગમ્યું અને ભગવાન માતાજી તમને ખુબ જ સદબુદ્ધિ આપે. આ દાદીમા એવું પણ કહેતા હતા કે, તમને મેં કીધું અને તમે મારી મદદે આવી ગયા એ મારી માટે તમે ભગવાન બનીને આવ્યા અને મારી મદદ કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *