સુરતમાં મધરાત્રે ખેલાયો ખૂની ખેલ: ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ પત્ની પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી નિર્મમ હત્યા

સુરત(SURAT): શહેરના કિમ(Kim) ગામમાં 6 મહિના પહેલા જ લગ્ન કરીને આવેલ પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.…

સુરત(SURAT): શહેરના કિમ(Kim) ગામમાં 6 મહિના પહેલા જ લગ્ન કરીને આવેલ પરિણીત યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. કિમ ગામમાં આવેલ પંચવટી સોસાયટીમાં રહેતી 22 વર્ષીય કિરણ ગોડની હત્યા(Murder) પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું નથી. જોકે, યુવતીનાં પરિવારજનોએ 6 મહિના પહેલા જ લગ્ન કરીને આવેલ ઘરજમાઈ તરીકે રહેતા પતિએ જ હત્યા કરી હોવાના આક્ષેપો મુક્યા છે. જ્યારે પતિ પણ વહેલી સવારે ઘરને તાળું મારી નાસી ગયો છે.

હત્યાની ઘટના અંગે પોલીસે જણાવતા કહ્યું કે, મૃતક કિરણ ગોડના 6 મહિના પૂર્વે જ લગ્ન થયા હતા. યુવતીની હત્યા તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને કરવામાં આવી છે. મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે, પતિએ જ રાત્રિ દરમિયાન હત્યા કરીને ઘરે તાળું મારીને ભાગી ગયો છે. હાલમાં કિમ પોલીસે ઘટનાસ્થળે જઇ કાર્યવાહી હાથ ધરી છે.

પરિવારે જણાવ્યું હતું કે, કિરણ ગૌડ (દીકરી)ના રૂમમાં વહેલી સવારે તાળું મારેલું જોતાં માતાપિતા આશ્ચર્યમાં આવી ગયાં હતાં. બારીમાંથી નજર કરતાં કિરણ ગૌડનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ દેખાયો હતો. 6 મહિના પહેલાં જ કિરણ ગૌડના લગ્ન હરિશ્ચંદ્ર ગૌડ સાથે થયા હતા. છેલ્લા ચાર માસથી હરિશ્ચન્દ્ર ગૌડ પત્નીના ઘરે જ એટલે કે ઘર જમાઈ બનીને રહેતો હતો.

છેલ્લા 3 દિવસથી પતિ ઘરે આવ્યો ન હતો અને ગઈકાલે સાંજના સમયે ઘરે આવેલા પતિ હરિશ્ચંદ્ર વહેલી સવારે ઘરને બહારથી તાળું મારી ભાગી જતાં અનેક પ્રશ્નો ઊભા થાય છે. હાલ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, દીકરીની હત્યા તેના જ પતિ હરિશ્ચંદ્ર ગૌડ દ્વારા કરવામાં આવી છે. પોલીસે કિરણના મૃતદેહનો કબજો લઇ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીને પકડવા માટે સખ્ત મહેનત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *