ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બન્યું સાળંગપુર! પંચધાતુમાંથી બનેલી દેશની પહેલી 54 ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિનું થયું અનાવરણ

King of Salangpur Opening Ceremony: શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ(Salangpur Dham). સાળંગપુર કષ્ટભંજન દેવ(Kashtabhanjan Dev) મંદિરમાં કિંગ ઓફ સાળંગપુર(King of Salangpur)ની પ્રતિમાનું ગઈકાલે અનાવરણ…

King of Salangpur Opening Ceremony: શ્રદ્ધાનું બીજું નામ એટલે સાળંગપુર ધામ(Salangpur Dham). સાળંગપુર કષ્ટભંજન દેવ(Kashtabhanjan Dev) મંદિરમાં કિંગ ઓફ સાળંગપુર(King of Salangpur)ની પ્રતિમાનું ગઈકાલે અનાવરણ કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતિના એક દિવસ પહેલાં જ એટલે કે ગઈકાલે આ મૂર્તિને વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદદાસ સહિત અન્ય સંતો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

મહત્વનું છે કે, સાળંગપુર તીર્થ પોતે કેવી રીતે એક ગામથી તીર્થ બન્યું તે ઈતિહાસ અને મહિમાની ગાથા વર્ણવતો શો રજૂ કરવામાં આવ્યો હતો. તેમજ વિરાટ કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા અને પ્રદક્ષિણા પથ પર સ્માર્ટ અને ઇન્ટેલીજેન્ટ કલરફૂલ લાઈટ્સ, પેટર્ન અને ડોક્યુમેંટ્રી ફિલ્મ દ્વારા દિલધડક દૃશ્યો રજૂ કરવામાં આવ્યા હતા.

13 મિનિટના આ શોમાં સાળંગપુર તીર્થનો ઇતિહાસ, મહિમા, ભગવાન સ્વામિનારાયણનું આગમન, પૂજ્ય ગોપાળાનંદ સ્વામી દ્વારા પ્રતાપી કષ્ભંજનદેવ હનુમાનજીની સ્થાપનાથી લઈ આજદિન સુધી આ તીર્થના હ્રદયતીર્થ સ્થાન પર 54 ફૂટ ઊંચા કિંગ ઓફ સાળંગપુરની સ્થાપનાની કહાની એક નવા અંદાજમાં રજૂ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે, સંતો અને ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિથી સમગ્ર પરિસર ભક્તિમય રંગમાં રંગાઈ ગયું હતું. અનાવરણ પછી ભક્તો દાદાની વિરાટ પ્રતિમાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. માત્રને  માત્ર એટલું જ નહીં પરંતુ હનુમાનજીની આ પ્રતિમાએ સાળંગપુરની શોભામાં ચાર ચાંદ લગાવી દીધા હતા. તો આજે એટલે કે હનુમાન જયંતિના દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીંના ભોજનાલયને ખુલ્લું મુકવામાં આવશે.

4 ફૂટની આ વિશાળ પ્રતિમા સાત કિલોમીટર દૂરથી પણ દાદા ના દર્શન કરી શકાશે. ભાવિક ભક્તો દાદા ને સાત કિલોમીટર દૂરથી પણ જોઈ શકે તે પ્રકારની વિશાળ પ્રતિમા અહીં પંચધાતુ માંથી નિર્માણ કરવામાં આવી છે.

સાળંગપુર ધામના વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ હનુમાન મંદિરમાં ભાવિક ભક્તજનોને નવું નજરાણું જોવા મળશે. સાથે ભક્તોની શ્રદ્ધા અને ભાવમાં પણ વધારો થશે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ મૂળ રાજસ્થાનના નરેશભાઈ કુમાવતે બનાવી છે.

વાત કરવામાં આવે તો 13 ફૂટના બેજ પર દાદાની મૂર્તિ દક્ષિણ મુખે રાખવામાં આવી છે, જેના સાત કિલોમીટર દૂરથી પણ ભક્તો દર્શન કરી શકશે. માત્ર એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ એટલી મજબૂત હશે કે, તેના પર ભૂકંપના મોટા ઝટકા ની પણ કોઈ અસર થશે નહીં.

54 ફૂટ ઊંચાઈ ધરાવતી આ મૂર્તિ પંચધાતુ માંથી બનાવવામાં આવી છે અને તેની અંદરનું સ્ટ્રક્ચર સ્ટીલનું છે. કષ્ટભંજન દેવની આ મૂર્તિ હરિયાણાના ગુરુગ્રામ માં આકાર પામી હતી એટલું જ નહીં પરંતુ દાદા ની આ મૂર્તિ નો વજન 30,000 કિલો હશે.

મહત્વની વાત તો એ છે કે, 30 હજાર કિલોની દાદાની આ વિશાળ મૂર્તિ 5,000 વર્ષ અડીખમ રહી શકે એ પ્રકારનું મજબૂત તેનું માળખું છે. તેના વિવિધ પરિમાણોની વાત કરવામાં આવે તો મુગટ- 7 ફુટ ઊંચો અને 7.5 ફુટ પહોળો, ગદા 27 ફુટ લાંબી અને 8.5 ફુટ પહોળી, હાથ- 6.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા હાથના કડા- 1.5 ફુટ ઊંચા અને 2.5 ફુટ પહોળા, પગ- 8.5 ફુટ લાંબા અને 4 ફુટ પહોળા, પગનાં કડા- 1.5 ફુટ ઉચા અને 3.5 ફુટ પહોળા, આભૂષણ- 24 ફુટ લાંબા અને 10 ફુટ પહોળા અને તેના સેન્ટરમાં 17 ફુટ ઊંડો મજબુત બેઝ રહેશે.

આ વિશાળ પ્રોજેક્ટમાં હિન્દુ ધર્મની કળા, સંસ્કૃતિ અને ગૌરવની અનુભૂતિ થશે, અહીં 3થી 4 સ્ટેપ્સમાં મૂર્તિ લગાવવામાં આવશે.

દાદાની આ ભવ્ય મૂર્તિ સાળંગપુરની શાનમાં વધારો કરશે એટલું જ નહીં દાદાની મૂર્તિ સામે ગાર્ડન બનાવવામાં આવશે. અને એક વિશાળ એમ્ફી થિએટરમાં 1500 દર્શનાર્થીઓ બેસીને લાઇટ એન્ડ સાઉન્ડનો ફાઉન્ટેન શોની મજા પણ માણી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *