આ વૃદ્ધ પડી ગયા ચાલુ ટ્રેને અને થયું મોત: ભાવનગર, સુરેન્દ્રનગર પોલીસ શોધી રહી છે તેમના પરિવારજનોને

હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા જોવા મળ્યા છે. આ દરમિયાન ફરી એક ગંભીર અકસ્માત…

હાલમાં અકસ્માતના કેસોમાં દિવસેને દિવસે વધારો જોવા મળ્યો છે. મોટા ભાગના લોકો અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવતા જોવા મળ્યા છે. આ દરમિયાન ફરી એક ગંભીર અકસ્માત સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ ચાલુ ટ્રેનમાંથી નીચે પડી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.

સોનગઢ-સીહોર રેલ્વે સ્ટેશન વચ્ચે ચાલુ ટ્રેને પડી જતા અજાણ્યા શખ્સનું મૃત્યુ થયુ હતુ. આથી મૃતકનું સીહોરમાં પોસ્ટમોર્ટમ બાદ ભાવનગર રેલ્વે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત સુરેન્દ્રનગર સ્ટેશનના સીસીટીવી ફુટેજમાં જોયા બાદ તેના આધારે વાલીવારસની તપાસ હાથ ધરવામાં આવી છે.

સોનગઢથી સિહોર રેલ્વે સ્ટેશનની વચ્ચે ચાલુ ટ્રેને પડી જવાથી અજાણ્યા શખ્સનું મૃત્યુ થયુ હતુ. ત્યારબાદ મૃતદેહનું પીએમ સિહોર સિવિલ હોસ્પીટલ ખાતે લઇ જઇ કરવામાં આવ્યુ હતુ. મૃતકની લાશ ભાવનગર હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખી વાલી વારસની તપાસ ભાવનગર રેલ્વે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી હતી.

રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરતા સુરેન્દ્રનગર રેલ્વે સ્ટેશનના સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા જેમાં મૃતક વ્યક્તિ જોવા મળ્યો હતો. આથી તેના આધારે વાલીવારસની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકના અંગે કોઇ વ્યક્તી જાણકારી ધરાવતા હોય તો ભાવનગર રેલ્વે પોલીસનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *