માનતા પૂરી થતા હજારો રૂપિયા લઈને જૂનાગઢથી મોગલ માં ના શરણે કબરાઉ ધામ પહોચ્યો યુવક, ત્યારે મણીધર બાપુએ કહ્યું…

ઘોર કળયુગમાં માં મોગલના પરચા અપરંપાર છે. માં મોગલના અસંખ્ય ભક્તોને માં મોગલ પર શ્રદ્ધા છે. હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. આજ સુધી માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલને જો સાચા દિલથી યાદ કરવાંમાં આવે તો માં મોગલની બધી જ માનતા પુરી થાય છે.

આજ સુધી કરોડો લોકોના દુઃખ માં મોગલે દૂર કર્યા છે. કાબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે. ગુજરાતના કચ્છમાં આવેલા કબરાઉ મોગલ ધામમાં સેંકડો ભક્તો પોતાની મનોકામના પૂરી કરવા આવતા હોય છે. ત્યારે હાલ એક યુવક જૂનાગઢથી પોતાની માનતા પુરી કારવા કબરાઉ ધામ આવી પહોચ્યો હતો.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢથી આવેલા પીન્ટુભાઈ પરમારે મકાનની માનતા રાખી હતી. મકાન લેતા આ યુવકની માનતા પૂરી થઈ હતી. તેથી યુવક 11,111 રૂપિયા લઈ કબરાઉ ધામ આવ્યો હતો. આ દરમિયાન મણીધર બાપુએ યુવકને જણાવ્યું હતું કે, માતાએ તારી 111 ગણી માનતા સ્વીકારી છે. તેમજ આ પૈસા તારી બહેન અને તારી દીકરીઓને અડધા અડધા આપી દેજે. આ રીતે માતાજીએ આજ સુધી આવા અનેક પરચાઓ બતાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *