રાજકોટમાં સામુહિક આપઘાત: એક જ પરિવારના 4 સભ્યોએ ડેરીની અંદર ફીનાઈલ ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ

રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની જાણીતી શિવશક્તિ ડેરીમાં એક જ પરિવારના ચાર જેટલા સભ્યોએ એક…

રાજકોટથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં સામુહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો છે. રાજકોટ શહેરની જાણીતી શિવશક્તિ ડેરીમાં એક જ પરિવારના ચાર જેટલા સભ્યોએ એક સાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટનાને અંગે સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામી છે. પરિવારે શા માટે આવું પગલું ભર્યું તે એક ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ઘટના અંગે પોલીસને જાન કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી.

શિવશક્તિ ડેરીના અન્ય કર્મચારીઓએ તાત્કાલિક એમ્બ્યુલેન્સ બોલાવી હતી અને તમામ સભ્યોને સારવાર હેઠળ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તેમની સ્થિતિ સામાન્ય જણાઈ રહી છે. સમગ્ર ઘટના અંગે પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે. આ આપઘાત કરવા પાછળનું મુખ્યું કારણ શું છે તેના વિશે હાલમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય એ છે કે, પરિવારના આ સભ્યોએ ડેરીમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર ઘટના અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરંતુ પ્રાથમિક તપાસમાં આર્થિક સંક્રમણને લીધે આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવું જણાઈ રહ્યું છે. હવે આ સમગ્ર ઘટના અંગે વધુ તપાસ થશે ત્યાર બાદ જ તેમનું સાચું કારણ સામે આવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *