સુરતમાં આજે ભાજપનો પ્રચંડ પ્રચાર, શહેરની તમામ બેઠકો પર એક સાથે સભાઓ ગજવશે દિગ્ગજ નેતાઓ

Gujarat Election 2022- જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દરેક પાર્ટીઓના પ્રચારના ધમપછાડા પણ વધી રહ્યા છે. જાહેર સભા, રેલીઓ અને ‘ડોર…

Gujarat Election 2022- જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ દરેક પાર્ટીઓના પ્રચારના ધમપછાડા પણ વધી રહ્યા છે. જાહેર સભા, રેલીઓ અને ‘ડોર ટુ ડોર’ જઈ દરેક પાર્ટીના નેતાઓ લોકોને આકર્ષવા-રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આજે સુરત શહેરમાં ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ પ્રચાર થવાનો છે. શહેરની તમામ બેઠકો પર એક સાથે અનેક દિગજ નેતાઓ સભા ગજવશે.

આજરોજ 159 સુરત પૂર્વ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર અરવિંદ રાણાના પ્રચાર માટે તેજસ્વી સૂર્યાજી દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 7:30 કલાકે કોટસફીલ રોડ, વાડીફળિયા પોલીસ ચોકી સામે યોજાશે.

સાથોસાથ 160 સુરત ઉત્તર વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કાંતિભાઈ બલ્લરના પ્રચાર માટે નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 8:00 કલાકે સુરત ઉત્તર વિધાનસભાના મુખ્ય કાર્યાલયે યોજાશે.

સાથોસાથ 161 વરાછા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર કિશોર કાનાણીના પ્રચાર માટે પુરષોત્તમ રૂપાલા દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 9:00 કલાકે સૌરાષ્ટ્ર સો. (વિ.1) ની સામે- વરાછામાં યોજાશે.

સાથોસાથ 162 કરંજ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પ્રવીણ ઘોઘારીના પ્રચાર માટે મનસુખ માંડવીયા દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 8:00 કલાકે ૧૫૦ ફૂટ રોડ, ગાયત્રી નગર સોસાયટી, લમ્બે હનુમાન રોડ પર યોજાશે.

સાથોસાથ 163 લીંબાયત વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલના પ્રચાર માટે દેવેન્દ્ર ફડણવીશ દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 7:30 કલાકે સંજય નગર સર્કલ પાસે યોજાશે.

સાથોસાથ 164 ઉધના વિધાનસભામાં ભાજપના ઉમેદવાર મનુભાઈ પટેલના પ્રચાર માટે નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 6:30 કલાકે પત્રકાર સર્કલ, હાઉસીંગ બોર્ડ, પાંડેસરા યોજાશે.

સાથોસાથ 165 મજુરા વિધાનસભામાં ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીના પ્રચાર માટે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 8:00 કલાકે બ્રોડવે સ્કુલની બાજુમાં, અલથાણ કેનાલ રોડ પર યોજાશે.

સાથોસાથ 166 કતારગામ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર વિનોદ મોરડિયાના પ્રચાર માટે મનસુખ માંડવીયા દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 9:00 કલાકે માનસી રેસીડેન્સી સામે, હરિદર્શનના ખાડામાં યોજાશે.

સાથોસાથ 169 સુરત પશ્ચીમ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર પુર્ણેશ મોદીના પ્રચાર માટે અનુરાગ ઠાકર દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 9:00 કલાકે વીર સાવરકર સર્કલ અને વિદ્યાકુંજ સર્કલની વચ્ચે યોજાશે.

સાથોસાથ 168 ચોર્યાસી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સંદીપ દેસાઈના પ્રચાર માટે UP ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા જાહેરસભા થશે. આ જાહેર સભા આજે સાંજે 5:00 કલાકે શાન્તનું રેસીડેન્સી, ખોડીયાર ચાર રસ્તા પાસે યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *