આવનારા 3 દિવસ 40 કિમીની ઝડપે આવશે પવન સાથે વાવાઝોડું -અંબાલાલ પટેલની મોટી આગાહી

ગુજરાતમાં આ વર્ષે દર વર્ષ કરતા વધુ વરસાદ નોંધ્યો છે. ત્યારે આજ રોજ ફરી એક વખત વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હવામાન વિભાગના નિષ્ણાંત ગણાતા અંબાલાલ પટેલ (ambalal patel) હવામાનને લઈને સતત આગાહી કરતા રહે છે. જોકે, તેની આગાહીઓ મોટા ભાગે સાચી સાબિત થાય છે. આ વખતે પણ અંબાલાલ પટેલે ગુજરાતમાં કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે તેની વધુ આગાહી (Weather Forecast) કરી છે.

એક સપ્તાહના વિરામ બાદ આજથી ત્રણ દિવસ રાજ્યમાં ફરી ભારે વરસાદની આગાહી છે. આ વખતે દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રને ત્રણ દિવસ સુધી વરસાદ ધમરોળી શકે છે. રાજ્યમાં અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 12 અને 13 સપ્ટેમ્બરે ભારે વરસાદની શક્યતા સેવવામાં આવી છે. હવામાન વિભાગના મતે 13 સપ્ટેમ્બરે લો – પ્રેસર સક્રિય થશે. જેના કારણે 16થી 18 સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડશે અને ત્યારબાદ વરસાદનું જોર વધશે.

11 સપ્ટેમ્બરના રોજ આ જગ્યાએ આવશે વરસાદ
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 11 સપ્ટેમ્બરના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગુજરાતના ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, ખેડા, દાહોદ, પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, સુરત, નર્મદા, વલસાડ, નવસારી, દીવ, દમણ,દાદરા નગર હવેલી, તાપી, વલસાડ, બોટાદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

12 સપ્ટેમ્બરના રોજ આ જગ્યાએ આવશે વરસાદ
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.

13 સપ્ટેમ્બરના રોજ આ જગ્યાએ આવશે વરસાદ
અંબાલાલ પટેલે કરેલી આગાહી અનુસાર, 13 સપ્ટેમ્બરના ખેડા,દાહોદ,પંચમહાલ, આણંદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, દીવ માં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, નવસારી, ભાવનગર, અમરેલી માં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે બહાર પાડેલ આંકડાઓ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં મેઘ મહેર જોવા મળી રહ્યો છે, જેમાંથી સાત તાલુકામાં 1થી 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, તો 24 તાલુકામાં 1થી 15 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. આમાં સૌથી વધુ વરસાદ ભાવનગરના વલ્લભીપુરમાં 3 ઇંચ અને સુરતના કામરેજમાં 2.7 ઇંચ પડ્યો છે.  ભાવનગરમાં છેલ્લા 2 કલાકમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ભાવનગરના વલ્લભીપુરમાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. સુરતના કામરેજમાં પણ 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. તાપીના સોનગઢમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *