હવામાન વિભાગની મોટી આગાહી- ગુજરાતમાં આજે અને કાલે જાણો ક્યાં ખાબકશે કડાકા-ભડાકા સાથે વરસાદ

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસા(Unseasonal rain)દની હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યભરમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી(Thunderstorm activity) સાથે વરસાદ…

ગુજરાત(Gujarat): રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી કમોસમી વરસા(Unseasonal rain)દની હવામાન વિભાગ(Meteorological Department) દ્વારા આગાહી કરવામાં આવી છે. આગાહી અનુસાર રાજ્યભરમાં ઠંડરસ્ટ્રોમ એક્ટિવિટી(Thunderstorm activity) સાથે વરસાદ પડવાની શક્યતાઓ છે. વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને ગુજરાત રીજીયનમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાથે જ હવામાન વિભાગની આગાહી અનુસાર, 16 અને 17 માર્ચે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ 16 અને 17 માર્ચે સારો એવો વરસાદ રહેશે.

તો આજે એટલે કે 15 માર્ચના રોજ વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તો આવતીકાલે 16 માર્ચના રોજ ગીર સોમનાથ, દાહોદમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

હજુ તો માવઠાના મારથી ખેડૂતો ઊભર્યા પણ નથી ત્યાં ફરી હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં 16 માર્ચ અને 17 માર્ચે વધુ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ઉલ્લેખનીય છે કે ખેડૂતો ખેતરમાં મોંઘા બિયારણ વાપરીને પાકનું વાવેતર કરતા હોય છે. પરંતુ ભર ઉનાળે પડેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.

મહત્વનું છે કે રાજ્યના ઉત્તરપૂર્વીય પવનોના કારણે વાતાવરણમાં પલટો આવશે. તો સાથે જ 30 થી 40 km ની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

અંબાલાલ પટેલની મોટી આગાહી:
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ફરી એક વાર ગુજરાતમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલ ની આગાહી અનુસાર 11 માર્ચથી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે 14 માર્ચથી 18 માર્ચ દરમિયાન વરસાદ પડવાની પણ આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભર ઉનાળે જુદા જુદા વિસ્તારમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. જેને કારણે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે. મહત્વનું છે કે ખેડૂતોએ ખેતરમાં વાવેતર કરેલ ઘઉં, જીરુ, રાઇ અને તમાકુ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવા પામ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *