વિડીયો: હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારાનું માથું કાપી લાવનારને 20 લાખ રૂપિયા આપીશ- જાણો કોણે કહ્યું આવું?

હરિદ્વાર(Haridwar)ના શ્રી પંચાયતી નિરંજની અખાડા(Shri Panchayati Niranjani Akhada)ના મહામંડલેશ્વર સ્વામી વૈરાગ્યાનંદ ગિરી મહારાજ(Mahamandleshwar Swami Vairagyananda Giri Maharaj)એ ગ્રેટર નોઈડા(Greater Noida)માં વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરનારા ફિલ્મ નિર્માતાઓનું માથું કાપીને લાવનારને 20 લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ધાર્મિક નેતા મિર્ચી બાબા(Mirchi Baba) નોઈડા(Noida)માં પ્રવાસ પર છે.

મહામંડલેશ્વરનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે કહી રહ્યા છે કે આ એક ષડયંત્ર હેઠળ થઈ રહ્યું છે. માથું કાપી નાખ્યા વિના તેઓ માનશે નહીં. કાલી મા ફિલ્મના વિવાદાસ્પદ પોસ્ટર પર મિર્ચી બાબાએ કહ્યું કે, આવા કૃત્યો દ્વારા હિન્દુ ધર્મને બદનામ કરવાનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. મા કાલીનું અપમાન થઈ રહ્યું છે. નિરંજની અખાડાના સંત હોવાના નાતે હું જાહેર કરું છું કે આવી ફિલ્મો બનાવનારાઓનું માથું કાપીને લાવનારને હું 20 લાખ રૂપિયા આપીશ.

તેમનું કહેવું છે કે, વેબ સિરીઝ આશ્રમ અને આવી ફિલ્મોના નિર્માતા હિન્દુ ધર્મ પર હુમલો કરી રહ્યા છે. જે કોઈ પણ આવી ફિલ્મના નિર્માતાઓનું માથું કાપી નાખશે, હું તેને મારા આશ્રમ વતી 20 લાખ રૂપિયાનું ઈનામ આપીશ. તેમણે વધુમાં કહ્યું છે કે, આવા કામો આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હેઠળ કરવામાં આવે છે. હવે તેઓનું માથું કાપ્યા વગર વિશ્વાસ નહીં થાય.

મિર્ચી બાબાએ કહ્યું છે કે, દરેક જગ્યાએ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરેક જગ્યાએ અરજીઓ આપવામાં આવી રહી છે, પરંતુ કાયદો સંપૂર્ણ રીતે કાર્યરત નથી. કાયદાએ આ લોકોને પકડીને કડકમાં કડક સજા આપવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *