મોડી રાત્રે ડબલ ડેકર બસ પલટાતા સર્જાયો ગંભીર અક્સ્માત- એકસાથે ૧૯ લોકો…

ઉત્તરપ્રદેશ: મુરાદાબાદ જિલ્લાના મુઢાંપાંડેમાં દિલ્હી-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંગળવારે મોડી રાત્રે એક ડબલ ડેકર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે.…

ઉત્તરપ્રદેશ: મુરાદાબાદ જિલ્લાના મુઢાંપાંડેમાં દિલ્હી-લખનૌ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મંગળવારે મોડી રાત્રે એક ડબલ ડેકર બસ પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઘાયલ થયા છે. બસમાં લગભગ 100 લોકો સવાર હતા. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘાયલોમાંથી 10 ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે જણાવ્યું હતું કે, બસ સીતાપુરથી હરિયાણાના પાનીપત જઈ રહી હતી. આ તમામ લોકોને મજૂર કહેવામાં આવી રહ્યા છે. બસ રામપુરથી આગળ નીકળીને મુઢાંપાંડે વિસ્તારમાં પહોંચી હતી કે, તે દરમિયાન અનિયંત્રિત થઈ ગઈ અને ડિવાઈડર સાથે અથડાઈ ગઈ હતી. ટક્કર બાદ બસ રસ્તાની બાજુમાં 20 ફૂટ ઊંડા ખાડામાં પલટી ગઈ હતી.

મળતી માહિતી અનુસાર, બસ રોડની સાઈડ ક્રેશ ગાર્ડને તોડીને પલટી ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે, અકસ્માત બાદ બસ ડ્રાઈવર ફરાર થઈ ગયો છે. ઇજાગ્રસ્ત મુસાફરોએ જણાવ્યું હતું કે, અકસ્માત પહેલા બસને ઢાબા પર થોડો સમય રોકવામાં આવી હતી. અહીં બીજો ડ્રાઈવર બસ ચલાવવા બેઠો, તેણે બસ ચલાવતા પહેલા થોડો નશો કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *