સુરતમાં રત્નકલાકારને ઝઘડાની અદાવતમાં પોતાના જ મિત્રોએ કરી કરપીણ હત્યા- પહેલા દારુ પીવડાવ્યો અને પછી…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ હત્યાના બનાવો દરમિયાન ફરીવાર હત્યા(Murder)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સુરત(Surat)ના અમરોલી(Amaroli) વિસ્તારમાં રત્નકલાકારને તેના જ ત્રણ જેટલા મિત્રો…

સુરત(ગુજરાત): આજકાલ વધી રહેલ હત્યાના બનાવો દરમિયાન ફરીવાર હત્યા(Murder)ની એક ચકચારી ઘટના સામે આવી છે. જેમાં સુરત(Surat)ના અમરોલી(Amaroli) વિસ્તારમાં રત્નકલાકારને તેના જ ત્રણ જેટલા મિત્રો સાથે બે વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં થાપાના ભાગે સાત જેટલા ઘા(Diamond Worker Stabbed To Death in Surat Amroli) મારી કરપીણ હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી હતી. મિત્રો સાથે દારૂ પીધા બાદ થયેલા ઝઘડામાં આ રત્નકલાકારની હત્યા નીપજાવવામાં આવી છે.

પોલીસ દ્વારા આ મામલે એક યુવકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ હત્યાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે ત્યારે સુરતમાં ફરી ગુનાખોરીનો માહોલ ઉલાળો મારતો જોવા મળી રહ્યો છે. જાણવા મળ્યું છે કે, મૃતક બે બાળકોનો પિતા હતો અને આ હત્યાના પગલે તેના બે બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે.

ઘટનાની વિગતો એવી છે કે, સુરતના અમરોલી વિસ્તારમાં ગઈકાલે મોડીરાત્રે એક રત્નકલાકાર યુવકની થાપાના પાછળના ભાગે સાત જેટલા ઘા મારી હત્યા કરવામાં આવેલી લાશ મંદિરના ગેટ પાસેથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જોકે, ઘટનાની જાણકારી મળતાં પોલીસ દ્વારા ઘટનાસ્થળે દોડી જઇ આ મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી. સુરતમાં હત્યાની ઘટનાને લઈને અમરોલી વિસ્તારમાં ડરનો માહોલ પણ જોવા મળ્યો હતો. પોલીસે તપાસ કરતાં મરનાર યુવાનનું નામ સનોજ હોવાનું સામે આવ્યું હતું.

જાણવા મળ્યું છે કે, શનિ ભાઈઓ સાથે સંયુક્ત પરિવારમાં રહેતો હતો અને નોકરી કરી પોતાની પત્ની અને બાળકોનું ગુજરાન ચલાવતો હતો. સની મિત્રો સાથે ફરવા નીકળ્યો હતો. રાત્રે 9 વાગ્યે તેની લાશ મળી આવતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં જાણકારી મળી હતી કે, તે કેમૂળ બિહારના રહેવાસી છે બને છેલ્લા 10 વર્ષથી સુરતમાં રહેતા હતાં. 2 વર્ષ પહેલાં સનોજ નામના વ્યક્તિએ ગાળા ગાળી કરતા વાત ઝગડા સુધી પહોંચી ગઈ હતી. લગભગ 3 વાર સનોજે ઝગડો કર્યો હોવાનું સામે આવ્યું છે.

રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો. એણે જ શનિની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોવાની જાણકારી મળતાં પોલીસ દ્વારા મિત્રો સાથે ફરવા અને દારૂ પીવા ગયો હતો તે ત્રણમાંથી એક મિત્રની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, બીજી બાજુની અત્યારની જાણકારી મળતા જ પરિવાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યું હતું અને શનિનો મૃતદેહ જોઈને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે.

2 વર્ષ પહેલાં સનોજ નામના વ્યક્તિ એ ગાળા ગાળી કરતા વાત ઝગડા સુધી પહોંચી ગઈ હતી. લગભગ 3 વાર સનોજે ઝગડો કર્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવારની રાત્રે સનોજ પણ ભાઈ શનિ સાથે જ હતો. એણે જ શનિ શર્માની હત્યા કરી લાશને મંદિરના ગેટ બહાર ફેંકી દીધી હોય એવું જણાવ્યું હતું. અમરોલી પોલીસ દ્વારા હાલ શનિના હત્યા કેસમાં એકની અટક કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

શનિ પરિણીત હતો અને બે બાળકોનો પિતા હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું. હત્યા પાછળ હજી કોઈ યોગ્ય કારણ જાણી શકાયું નથી. જોકે, આ ઘટનાને લઇને સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે પરિવાર પોતાના યુવાન પુત્રના મોતને લઇ શોકમાં ગરકાવ થઇ ગયું છે. ત્યારે બીજીબાજુ પોલીસ દ્વારા આ મામલે એક આરોપીની ધરપકડ બાદ અન્ય બે મિત્રોની ધરપકડ કરવામાં આવી હતી તેનું સાચું કારણ શું છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *