મોટાભાઈની મોતના ત્રીજા જ દિવસે નરેશ કનોડિયાનું પણ નિધન

કોરોનાને સમગ્ર વિશ્વને પોતાના પ્રકોપથી ધ્રુજાવી દીધું છે. કોરોનાને કારણે લાખો લોકોને પોતાના પરિવારજનોને ગુમાવવાનો વારો આવ્યો છે. ભારતમાં પણ કેટલાક જાણીતા લોકોના મોત માત્ર કોરોનાને કારણે જ થયા છે ત્યારે હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે.

ગુજરાતી ફિલ્મોના સુપર સ્ટાર રહી ચૂકેલ તથા પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાનો કોરોના રીપોર્ટ થોડા દિવસ અગાઉ પોઝીટીવ આવ્યો હતો. જેણે કારણે એમને અમદાવાદમાં આવેલ UN હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જો કે, આવા કપરા સમયની વચ્ચે નરેશ કનોડિયાના મોટાભાઈનું અવસાન થોડા દિવસ પહેલાં જ થયું હતું. જેણે કારણે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો ત્યારે હાલમાં ફરી એકવાર આ પરિવારને આંચકો લાગ્યો છે. હાલમાં જ સવારના 9 વાગ્યે કોરોનાને કારણે સારવાર લઈ રહેલ નરેશ ક્નોદીયાનું દુઃખદ અવસાન થયું છે.

મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે જ નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ અવસાન થયું છે. નરેશ કનોડિયાનાં ઓક્સિજનનાં સ્તરમાં ઘટાડો નોંધાતા ઘટતા એમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *