ભારતના 10 રાજ્યોમાંથી કોરોનાના નવા વેરિઅન્ટના 69 કેસ મળી આવતા ફફડાટ- વૈજ્ઞાનિકે આપી ગંભીર ચેતવણી

કોરોના વાયરસ(Corona virus) લગભગ અઢી વર્ષ પછી પણ થોભવાનું નામ નથી લઇ રહ્યો. હવે એક ઇઝરાયેલના વૈજ્ઞાનિકે(Israel Scientist) તબીબી સમુદાય અને મહામારીના નિરીક્ષકોમાં ફફડાટ પેદા…

કોરોના વાયરસ(Corona virus) લગભગ અઢી વર્ષ પછી પણ થોભવાનું નામ નથી લઇ રહ્યો. હવે એક ઇઝરાયેલના વૈજ્ઞાનિકે(Israel Scientist) તબીબી સમુદાય અને મહામારીના નિરીક્ષકોમાં ફફડાટ પેદા કરી દીધો છે. ઈઝરાયેલના વૈજ્ઞાનિક ડૉ. શે ફ્લેઈશ(Shay Fleishon)ને દાવો કર્યો છે કે ભારતના 10 રાજ્યોમાં કોરોનાવાયરસનો સબ-વેરિઅન્ટ(Coronavirus sub-variant) BA.2.75 મળી આવ્યો છે.

ઇઝરાયેલમાં શેબા મેડિકલ સેન્ટરની સેન્ટર વાઈરોલોજી લેબમાં ડોક્ટર શે ફ્લેઈશન કામ કરે છે. તેમણે લખ્યું છે કે 2 જુલાઈ સુધી BA.2.75ની 85 સિક્વન્સ અપલોડ કરવામાં આવી છે. આમાંના મોટા ભાગના ભારતના (10 રાજ્યો) છે. બાકીના સાત અન્ય દેશોના છે. હાલમાં, ટ્રાન્સમિશનની માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

શે ફ્લેઈશને પણ આ કોવિડ કેસો વિશે વિગતવાર સમજાવ્યું છે. ડૉ. શેના જણાવ્યા અનુસાર, 2 જુલાઈ સુધી ભારતમાં કોવિડના નવા સબ-વેરિઅન્ટના 69 કેસ જોવા મળ્યા હતા. જેમાં મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી અને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં એક-એક, હરિયાણામાં છ, હિમાચલ પ્રદેશમાં ત્રણ, કર્ણાટકમાં 10, મધ્યપ્રદેશમાં પાંચ, તેલંગાણામાં બે મળી આવ્યા હતા.

જીનોમ સિક્વન્સિંગ ડેટાને ટ્રેક કરતી સાઇટ નેક્સ્ટસ્ટ્રેન અનુસાર ભારત સિવાય, એવા સાત વધુ દેશો છે જ્યાં કોવિડનો નવો પ્રકાર જોવા મળ્યો છે. શે ફ્લીશને BA.2.75 ને બીજી પેઢીના પ્રકાર તરીકે વર્ણવ્યું છે. એવું લખવામાં આવ્યું છે કે આ પ્રથમ વખત છે જ્યારે બીજી પેઢીના વેરિઅન્ટ્સ તે દેશોમાંથી સ્થળાંતરિત થયા છે જ્યાં તેઓ જોવા મળ્યા હતા.

શે ફ્લેઈશને આગળ ટ્વિટ કરીને લખ્યું કે શું BA.2.75 આવનારા સમયમાં વિશ્વભરમાં ફેલાશે કે કેમ, તે આટલી જલ્દી જાહેર કરી શકાય નહીં. પરંતુ BA.2.75 ચોક્કસપણે ચિંતાનું કારણ છે.

ભારતનું સ્ટેન્ડ શું છે?
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ટોચના વૈજ્ઞાનિક ડૉ. સમીરન પાંડાએ જણાવતા કહ્યું હતું કે, એક તરફ વિદેશી વૈજ્ઞાનિકો આને લઈને ચિંતિત છે. તે જ સમયે, ભારતીય વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હવે પેનિક બટન દબાવવું ખૂબ જ વહેલું છે. તેણે કહ્યું કે નવું વેરિઅન્ટ મળવું અસામાન્ય નથી. તેમણે કહ્યું કે જેમ જેમ વાયરસ ધીમો પડી જશે તેમ તેમ તેના પ્રકારો બહાર આવશે. સમીરન પાંડાના મતે, પરિવર્તન થવું જ પડે છે, તેની ચિંતા ન કરવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *