ઓમિક્રોનના કહેર વચ્ચે રાજ્ય સરકારે લીધો મહત્વનો નિર્ણય- કર્ફ્યુના સમય ગાળામાં કર્યો વધારો

ગુજરાત(Gujarat): આખા વિશ્વમાં કોરોના બાદ હવે ઓમિક્રોન(Omicron)એ હાહાકાર મચાવ્યો છે. જેને કારણે હવે સરકાર પણ એલર્ટ થઇ ગઈ છે. કોરોનાનો આ ખતરનાક પ્રકાર ઓમિક્રોન અત્યંત ખતરનાક માનવામાં આવે છે. હાલમાં ભારતમાં પણ ઓમિક્રોનના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ત્યારે હવે ગુજરાત સરકાર(Government of Gujarat) દ્વારા પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઓમિક્રોનના કહેર વચ્ચે રાત્રી કર્ફ્યૂ(Night curfew) સરકાર દ્વારા ફરી એકવાર યથાવત રાખવામાં આવ્યો છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 50-70ની વચ્ચે નોંધાઈ રહ્યા છે. તો કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ઓમિક્રોનની દહેશત વચ્ચે સરકાર કોઇ છુટ આપવાના મુડમાં હોય તેવુ લાગી રહ્યું નથી. જેના પગલે સરકાર દ્વારા જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમોને યથાવત્ત જ રાખવામાં આવ્યા છે.

ગુજરાતના 8 મહાનગરપાલિકા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગરમાં રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી આ રાત્રી કર્ફ્યુ યથાવત રહેશે. આ ગાઇડલાઇન 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકાર દ્વારા કર્ફ્યું અંગે જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. કોરોનાના કેસ વધતા રાજ્ય સરકાર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

અગાઉ ગાઇડલાઇન મુજબ હાલમાં હોટલ-રેસ્ટોરન્ટ ઉપરાંત દુકાનો બજારો લારી-ગલ્લા માર્કેટ યાર્ડ અને શોપિંગ કોમ્પ્લેક્ષ રાતના 12 વાગ્યા સુધી જ ખુલ્લા રાખી શકાશે.

રાજ્યમાં કેટલા છે ઓમિક્રોનના કેસ?
ગુજરાતમાં અમદાવાદ 3, જામનગર 3, સુરત 2, વડોદરા 2, ગાંધીનગર 1, મહેસાણા 1, આણંદ 1, રાજકોટ 1માં ઓમિક્રોનના કેસ નોંધાઈ ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *