અમદાવાદમાં બ્રેઈનડેડથી મૃત્યુ પામેલ ધર્મેશભાઈ પટેલનાં અંગદાનથી એકસાથે 4 લોકોને મળ્યું નવજીવન

સમગ્ર રાજ્યમાંથી અવારનવાર અંગદાન તથા રક્તદાન કેમ્પને લઈ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. શહેરની સિવિલ…

સમગ્ર રાજ્યમાંથી અવારનવાર અંગદાન તથા રક્તદાન કેમ્પને લઈ ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં 40 દિવસના સમયગાળામાં ચોથું અંગદાન કરાવવામાં આવ્યું છે. નરોડા વિસ્તારમાં રહેતાં બ્રેઈનડેડ જાહેર કરવામાં આવેલ ધર્મેશભાઈ પટેલનું ‘SOTTO’ મારફતે અંગદાન કરાવવામાં સફળતા મળી હતી. ધર્મેશભાઈએ અન્ય 4 લોકોને નવજીવન આપ્યું હતું.

‘અંગદાન એ જ મહાદાન’ આ વાક્યને માનીને બ્રેઈનડેડ એવાં 42 વર્ષીય ધર્મેશભાઈ પટેલના પરિવારજનો દ્વારા અંગદાન માટે આપવામાં આવેલ મંજુરીને લીધે 4 લોકોને નવજીવન મળ્યું છે. ધર્મેશભાઈ પટેલના પરિવારજનો દ્વારા તેમના બ્રેઈનડેડ સ્વજનની 2 કિડની, એક લીવર તથા 2 આંખોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

2 કિડની, એક લીવર તથા 2 આંખોની મદદથી અન્ય કુલ 4 લોકોને નવજીવન મળ્યું છે. નરોડામાં રહેતાં ધર્મેશભાઈ પટેલને બાથરૂમમાં નાહતી વખતે બ્રેઈન સ્ટ્રોક આવ્યો ત્યારે તેમના પરિવાર દ્વારા તેમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા.

ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર પછી ડોક્ટરો દ્વારા એમને ધર્મેશભાઈને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. પરિવારજનોને ધર્મેશભાઈ બ્રેઈનડેડ છે એ અંગે જાણ થતાંની સાથે જ અંગદાન કરવા અંગેનો વિચાર આવ્યો હતો. પરિવારની મંજુરી મળતાં સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલમાંથી તપાસ કર્યા પછી બ્રેઈનડેડ ધર્મેશભાઈને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

ખાનગી હોસ્પિટલમાંથી સિવિલ હોસ્પિટલમાં લઈ જતી વખતે ધર્મેશભાઈનું હાર્ટ 2 વખત બંધ થઈ ગયું હતું. માર્ગમાં જ ડોક્ટરોએ ઇન્જેક્શન આપીને ઝડપથી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ તેમના પરિવારજનોના નિર્ણય પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં સફળતા હાંસલ કરીને 4 લોકોને નવજીવન અપાવ્યું હતું.

સિવિલ હોસ્પિટલમાં 40 દિવસમાં અંતર્ગત 4 વ્યક્તિના અંગદાન શક્ય બન્યા છે. જેના થકી 15 જેટલાં લોકોને નવજીવન મળ્યું છે. ત્યારે ધર્મેશભાઈ પટેલના પરિવારજનો એ અંગદાનનું પ્રેરણારૂપ બનીને સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *