રાજકોટમા જંગી જન મેદની વચ્ચે પરશોત્તમ રૂપાલાનો રોડ- શો, વિજય મુહૂર્ત પહેલા જ રૂપાલાએ ભર્યું ઉમેદવારી ફોર્મ

Parshottam Rupala filled Nomination Form: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે.રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ(Parshottam Rupala…

Parshottam Rupala filled Nomination Form: લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા અંગેની શરૂઆત થઈ ગઈ છે.રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોતમ રૂપાલાએ આજે ઉમેદવારી ફોર્મ(Parshottam Rupala filled Nomination Form) ભર્યું છે. કલેક્ટર કચેરી ખાતે પહોંચી રૂપાલાએ કલેક્ટર સમક્ષ ફોર્મ રજૂ કર્યું છે.

રાજકોટ લોકસભા બેઠક માટે ભાજપમાંથી પરશોત્તમ રુપાલા આજે ઉમેદવારી નોંધાવી છે. જો કે ઉમેદવારી નોંધવતા પહેલા તેમણે રાજકોટમાં વિશાળ રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યુ હતુ. સાથે જ રાજકોટના બહુમાળી ચોકમાં સભાને પણ સંબોધી હતી. જેમાં તેમણે ક્ષત્રિય સમાજને સાથ અને સહકાર આપવા કહ્યુ હતુ.

બહુમાળી ચોક ખાતે સભા કરી
ભારે વિવાદ વચ્ચે પણ અંતે પરશોત્તમ રૂપાલા આજે રાજકોટ બેઠક માટે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ફોર્મ ભરતા પહેલા તેમણે આજે રાજકોટમાં માઈ મંદિરમાં દર્શન કર્યા હતા. જાગનાથ મંદિરેથી પદયાત્રા કરીને તેઓ બહુમાળી ચોક ખાતે સભા સ્થળ પર પહોંચ્યા હતા.બહુમાળી ચોક ખાતે તેમણે વિશાળ સભાને સંબોધી હતી. સાથે જ વિશાળ રોડ શો પણ કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. રોડ શોમાં કેટલાક ક્ષત્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.

રૂપાલાનું સંબોધન
રૂપાલાએ રામ રામ સાથે તેમની સ્પીચ શરુ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, નેતાઓની સાથે ઉદ્યોગપતિઓ તેમજ શાળા સંચાલકો સહિતનાઓનો આભાર વ્યક્ત કરુ છું. ક્ષત્રિય સમાજના સાથ સહકારની જરૂર છે. ભાજપ જે વાયદાઓ કરે છે તે પુરા કરે છે, મોરબીના ગઈકાલના કાર્યક્રમથી ખૂબ જ ખુશ છું. જે આવ્યાં છે તે તો મત આપશે જ, પણ આખા મલકને કહેજો કે ભાજપને મત આપે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 70 વર્ષથી વધુના લોકોને આયુષ્યમાન કાર્ડની જાહેરાત કરી તેના માટે મત આપવો જોઈએ. દેશમાં ભાજપ સરકાર બનશે અને તેના પ્રથમ 100 દિવસમા શું કરવાનું તેનુ પ્લાનિંગ સચિવાલય કરી રહ્યું છે. બધાને 100 ટકા મતદાન કરવાની અપીલ પણ કરી છે.

સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા
સમગ્ર દેશ સહિત રાજ્યમાં હાલ લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધીઓ તેજ બની છે. ચૂંટણી પ્રચારથી લઈને ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયાઓ જોરશોરથી ચાલી રહી છે, ત્યારે પાલા યાજ્ઞિક રોડ પરના જાગનાથ મંદિરે ભગવાન શંકર સમક્ષ શીશ ઝુકાવી રેલી સ્વરૂપે બહુમાળી ભવન ચોક ખાતે પહોંચ્યા હતા. રૂપાલાએ બહુમાળી ચોક ખાતે જંગી સભાને સંબોધી હતી. રેલી દરમિયાન તેમના સમર્થનમાં હજારો કાર્યકરો ઉમટી પડ્યા હતા, પુરુષોત્તમ રૂપાલાની સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર શહેરમાં જડબેસલાક બંદોબસ્ત
ક્ષત્રિય સમાજના ભારે વિરોધ અને સરકાર સાથેની મંત્રણા નિષ્ફળ ગયા પછી આજે સવારે ભારતીય જનતા પક્ષના રાજકોટના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે.તે પહેલા જાગનાથ મંદિરેથી ભવ્ય રેલી નીકળી હતી.જે સવા દસ વાગ્યે બહુમાળી ભવન પાસે સભા સ્થળે પહોંચી હતી.પોલીસનો સમગ્ર શહેરમાં જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દેવાયો છે

નીકળેલી રેલીના બંને તરફના રસ્તાઓ ખીચોખીચ ભરેલા હતા
જાગનાથ મંદિરે મહાદેવ સમક્ષ શિશ ઝુકાવી બહુમાળી ભવન તરફ રેલીએ પ્રયાણ કરેલ અને 12.39 કલાકે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.તેમજ આ રેલીમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજકોટના મેયર, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા પણ જોડાયા હતા.