જાણો કોણે કહ્યું: “જનતાને ભાજપથી મુક્તિ જોઈએ છે અને કોંગ્રેસ સક્ષમ નથી, ગુજરાતમાં આપ ની જીત નક્કી”

ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.…

ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતના વિકાસમાં કરેલા કામો અટકી ગયા હોય તેવું અનુભવી રહ્યા છે.

હાલમાં ગુજરાતીઓ ગુજરાતમાં સત્તા અને વિપક્ષથી કંટાળીને નવો વિકલ્પ શોધી રહ્યા છે. ગુજરાતમાં વર્ષોથી માત્ર 2 જ રાજકીય પક્ષો દ્વારા સાશન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતીઓએ હવે નવો વિકલ્પ પસંદ કરવાની રાહ જોઈ રહ્યા છે.

આ દરમ્યાન, સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને પ્રચાર માટે આમ આદમી પાર્ટીના નેતા આજે ગુજરાતમાં છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન અને આપના નેતા મનિષ સિસોદિયા અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં આપના સ્થાનિક કાર્યકરોએ તેમને આવકાર્યા.

આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારકો આજથી ગુજરાત આવી મતદારોને રીઝવવાના છે. જેમાં સૌ પ્રથમ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનિષ સિસોદિયા અને સાંસદ સંજય સિંહ આજે અમદાવાદમાં રોડ-શો યોજશે.

આમ આદમી પાર્ટીના સ્ટાર પ્રચારક એવા મનિષ સિસોદિયાએ મીડિયા સાથે વાતચીત કરતા સમયે ભાજપ પર નિશાન તાક્યુ છે. જનતાને ભાજપથી મુક્તિ જોઈએ છે અને કોંગ્રેસ સક્ષમ નથી. હવે આપ માટે અમદાવાદ દૂર નથી. દિલ્હી સમાન અમદાવાદમાં પણ આપની જીત નક્કી છે. તેવો વિશ્વાસ મનિષ સિસોદિયાએ દર્શાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *