ગુજરાતના આ ગામમાં રામ અને રહીમ બંનેના અનુયાયીઓ રહે છે સંપથી: 1200 વર્ષ પૌરાણિક મંદિરમાં ઇફતાર ભોજનનું આયોજન

વધતી જતી સામાજિક નફરત વચ્ચે ગુજરાતમાંથી એક સમાચાર આવ્યા છે. અહીંના 1200 વર્ષ જૂના મંદિરે તેના પરિસરમાં મુસ્લિમનું સ્વાગત કર્યું. શુક્રવારે મુસ્લિમ ઉપવાસીઓ માટે ઈફ્તારનું…

વધતી જતી સામાજિક નફરત વચ્ચે ગુજરાતમાંથી એક સમાચાર આવ્યા છે. અહીંના 1200 વર્ષ જૂના મંદિરે તેના પરિસરમાં મુસ્લિમનું સ્વાગત કર્યું. શુક્રવારે મુસ્લિમ ઉપવાસીઓ માટે ઈફ્તારનું આયોજન કરીને આ મંદિરે સમગ્ર દેશની સામે એકતાનું ઉદાહરણ રજૂ કર્યું છે.

એક અહેવાલ મુજબ, બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલા ડાલવાણા ગામમાં 1200 વર્ષ જૂના વારંદા વીર મહારાજ મંદિરે મુસ્લિમ ભાઈઓ માટે તેના દરવાજા ખોલ્યા. આ મંદિર ડાલવાણા ગામમાં છે અને અહીંના લોકોના સોશિયલ મીડિયા મેસેજ અને સ્ટેટસમાં જ નહીં જીવનમાં ભાઈચારો છે. ગામના લોકો દશેરા, દિવાળી, ઈદ બધા સાથે મળીને ઉજવે છે. અહીંના મુસ્લિમ પરિવારો પાલનપુરના શાસકોના વંશજો છે. પાલનપુરના નવાબોએ મંદિર બનાવવા માટે જમીન દાનમાં આપી હતી.

મંદિરના પૂજારી પંકજ ઠાકરે કહ્યું કે, “પહેલીવાર મંદિર પરિસરમાં મુસ્લિમો માટે ઉપવાસ ખોલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ મંદિર એક ઐતિહાસિક સ્થળ છે અને આખા વર્ષ દરમિયાન પર્યટકો મંદિરને જોવા માટે આવે છે. કેટલીકવાર હિન્દુ અને મુસ્લિમ તહેવારો એકસાથે યોજાય છે અને ગામલોકો એકબીજાને મદદ કરે છે.

આ વર્ષે મંદિર ટ્રસ્ટ અને ગ્રામ પંચાયતે મુસ્લિમ ઉપવાસીઓને મંદિર પરિસરમાં બોલાવીને ઉપવાસ ખોલવાનો નિર્ણય લીધો હતો. લગભગ 100 મુસ્લિમ ભાઈઓ માટે 5-6 પ્રકારના ફળો, ખજૂર, શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. સ્થાનિક મસ્જિદના મૌલાના સાહેબનું મેં અંગત રીતે સ્વાગત કર્યું હતું.

ગામના સરપંચ પિંકીબા રાજપૂતે કહ્યું, ‘રામનવમી અને હોળીના અવસર પર મુસ્લિમ ભાઈઓ અમને મદદ કરે છે, તેથી અમે વિચાર્યું કે આ વર્ષે તેમના માટે પણ કંઈક કરવું જોઈએ. આપણું ગામ સમગ્ર દેશ માટે સામાજિક એકતાનું ઉદાહરણ છે.

વડગામ તાલુકાના ગામના 100 જેટલા મુસ્લિમ રહેવાસીઓને રમઝાન માસ દરમિયાન સાંજે 7 વાગ્યાની આસપાસ મગરીબ નમાઝ અદા કરવા અને ઉપવાસ તોડવા માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા. ડાલવાણા ના લોકો માટે 1,200 વર્ષ જૂના વરંડા વીર મહારાજ મંદિર સામાજિક અને ધાર્મિક મહત્વ ધરાવે છે.

2011ની વસ્તી ગણતરી મુજબ, ડાલવાણાની વસ્તી 2,500 છે, જેમાં મુખ્યત્વે રાજપૂત, પટેલ, પ્રજાપતિ, દેવીપૂજક અને મુસ્લિમ સમુદાયોનો સમાવેશ થાય છે. મુસ્લિમોમાં લગભગ 50 પરિવારો હોય છે જે સામાન્ય રીતે ખેતી અને વ્યવસાયમાં રોકાયેલા હોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *