કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને PM મોદી 4 ડીસેમ્બરના રોજ ફરી વખત કરવા જઈ રહ્યા છે…

કોરોના વાયરસ ફરી એકવાર દેશમાં બેકાબૂ બની રહ્યો છે. ઘણા રાજ્યોમાંથી કોરોના ચેપના બીજા મોજાના ફાટી નીકળવાના અહેવાલો સતત આવી રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રની…

કોરોના વાયરસ ફરી એકવાર દેશમાં બેકાબૂ બની રહ્યો છે. ઘણા રાજ્યોમાંથી કોરોના ચેપના બીજા મોજાના ફાટી નીકળવાના અહેવાલો સતત આવી રહ્યા છે. આ દરમિયાન, કેન્દ્રની મોદી સરકાર સમગ્ર પરિસ્થિતિની નજીકથી નજર રાખી રહી છે અને સતત રાજ્યોના સંપર્કમાં છે.

કેન્દ્ર સરકારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ પર ચર્ચા કરવા માટે 4 ડિસેમ્બરના રોજ ફરી એકવાર સર્વદળીય બેઠક બોલાવી છે. સોમવારે સૂત્રો દ્વારા આ જાણકારી પ્રાપ્ત થઇ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરના રોજ કોવિડ-19ની દેશમાં સ્થિતિ કરવા માટે સદનમાં તમામ પાર્ટીઓના વડાઓ સાથે ઓનલાઇન બેઠક યોજવા જઇ રહ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 38772 નવા કેસ નોંધાયા છે. દરમિયાન, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે દેશની પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. દિલ્હી, અમદાવાદ અને ઇન્દોર જેવા શહેરો ફરી એકવાર વાયરસની લપેટમાં છે. ફરીથી, પરિસ્થિતિ પહેલા જેટલી વિકરાળ બની શકી ન હતી, તેથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે પણ ક્ષણ-ક્ષણ પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે.

સમાચાર એજન્સી ‘પીટીઆઈ’ એ સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે સંસદના બંને ગૃહોમાં પાર્ટીઓના નેતાઓને શુક્રવારે સવારે સાડા દસ વાગ્યે ઓનલાઇન બેઠક માટે બોલાવાયા છે. આ માટે સંસદીય કાર્ય મંત્રાલય બેઠક માટે સંકલન કરી સંસદના બંને ગૃહોમાં પાર્ટીઓના નેતાઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.

4 ડિસેમ્બરે શક્ય છે સર્વપક્ષીય બેઠક
સરકારી સુત્રોના હવાલેથી જણાવવામાં આવ્યું છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 4 ડિસેમ્બરે ગૃહમાં પક્ષોના નેતાઓ સાથે કોરોના વાયરસની સ્થિતિ અંગે ચર્ચા કરવા ઓનલાઇન બેઠકની અધ્યક્ષતા કરશે. પીએમ મોદી રોગચાળાને લગતા વિષયો પર નજર રાખી રહ્યા છે. નોંધનીય છે કે, રવિવારે તેમણે દેશમાં કોરોના રસી બનાવતી કંપનીઓની મુલાકાત લીધી હતી અને રસી અંગે સંપૂર્ણ માહિતી લીધી હતી. સોમવારે પીએમ મોદીએ રસી પર કામ કરતી ત્રણ ટીમો સાથે વર્ચ્યુઅલ મીટિંગ કરી હતી.

કોરોનાને કારણે દેશમાં 1,37,139 લોકોના અત્યાર સુધીમાં થયાં મોત
આપને જણાવી દઇએ કે, ભારતમાં ગત 24 કલાક દરમિયાન 38,772 નવા કેસ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 94,31,691 પર પહોંચી ગયા છે. આ સાથે જ 443 લોકોના મૃત્યુ થયાં છે અને મૃત્યુઆંક વધીને 1,37,139 થઈ ગયો છે.

ગુજરાતમાં સ્થિતિ વણસી છે
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં 1564 કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1451 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,89,420 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3969 પર પહોંચ્યો છે.

રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં હાલમાં 14889 એક્ટિવ કેસ છે. રાજ્યમાં રિકવરી રેટ 90.95 ટકા થયો છે. તો ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્યમાં આજે કુલ 68,960 નવા ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેને લઇને કુલ ટેસ્ટનો આંકડો 7,759,739 પર પહોંચ્યો છે. તો ચિંતાજનક વાત એ પણ છે કે, રાજ્યમાં હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે.

ગુજરાતમાં ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઇ
તાજેતરમાં અમદાવાદ મેડિકલ એસોસિએશનના વડા મોનાબેન દેસાઈએ જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણની ત્રીજી લહેરના ભણકારા સંભળાઇ રહ્યા છે. તો તેમણે એમ પણ જણાવ્યું હતું હતું કે, ગુજરાતમાં ફેબ્રુઆરી મહિના મહિના દરમિયાન કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *