કાચી ઉંમરમાં પાકો પ્રેમ: 14 વર્ષની ઉંમરે સગીરા થઇ ગઈ ગર્ભવતી, જાણો પ્યાર અને દર્દની સંપૂર્ણ કહાની

હાલમાં જ ઉત્તર પ્રદેશના(Uttar Pradesh) ફતેહપુરમાંથી(Fatehpur) પ્રેમનો એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. ફતેહપુરના રહેવાસી આ પ્રેમી યુગલમાં (Couple) પ્રેમિકા સગીર છે, જ્યારે પ્રેમી પુખ્ત છે. બંને વચ્ચે પ્રેમ થયો અને સ્વજનોના ડરથી બંને લખનૌ (Lucknow) ભાગી ગયા હતા. ત્યાંથી બંને નવેમ્બર 2019માં દિલ્હી (Delhi) ગયા અને ત્યાં લગ્ન (Marriage) કર્યા. કિશોરી માત્ર 14 વર્ષની નાની ઉંમરે ગર્ભવતી બની હતી. કિશોરીના પરિવારજનોની ફરિયાદ પર, પુખ્ત પ્રેમી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને POCSO એક્ટ (સંરક્ષણના બાળકોથી જાતીય અપરાધ અધિનિયમ)ની કડક કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. મળેલી માહિતી મુજબ બાદમાં બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

જાણવા મળ્યું છે કે, પોલીસે ધરપકડ કર્યા બાદ ગર્ભવતી યુવતીને સરકારી કન્યા ગૃહ (ખુલ્દાબાદ)માં મોકલી આપી હતી. તેના પુખ્ત પતિની પણ ધરપકડ કરવામાં આવી હતી. તેની જામીન અરજી પર સુનાવણી કરતા અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે પોક્સો એક્ટનો હેતુ યુવાનો વચ્ચેના પ્રેમ સંબંધોને તેના દાયરામાં લાવવાનો નથી. કોર્ટે તે વ્યક્તિની જામીન અરજી સ્વીકારતાં નાની ઉંમરે માતા બનેલી કિશોરીને સરકારી કન્યા ગૃહથી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ દરમિયાન 14-15 વર્ષની વયે માતા બનેલી કિશોરીને તમામ પ્રકારની મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું હતું.

એક રીપોર્ટ અનુસાર આ પ્રેમી યુગલે નવેમ્બર 2019માં દિલ્હીના એક મંદિરમાં લગ્ન કર્યા હતા. આ પછી છોકરી 14 વર્ષની ઉંમરે ગર્ભવતી થઈ. લગ્નના લગભગ બે વર્ષ પછી, 3 ઓક્ટોબર, 2021 ના ​​રોજ યુવકની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે કિશોરીને સરકારી કન્યા ગૃહમાં મોકલી દેવામાં આવી હતી. બંને લગભગ 2 વર્ષ સુધી સાથે હતા. આ દરમિયાન કિશોરીએ એક બાળકને જન્મ પણ આપ્યો હતો. ત્યારથી કિશોરીને કન્યા ગૃહમાં રહેવાની ફરજ પડી હતી.

આ કેસમાં પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. યુવતીના પ્રેમી વતી અલ્હાબાદ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. કોર્ટે જામીન અરજી સ્વીકારતા કિશોરીને સરકારી કન્યા ગૃહથી મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. આ મામલાની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું કે POCSO એક્ટનો હેતુ બાળકોને જાતીય હિંસા અને જાતીય સતામણીથી બચાવવાનો છે, યુવાનોના પ્રેમ સંબંધોમાં દખલ કરવાનો નથી. કોર્ટે કહ્યું કે કિશોરીએ આરોપી વ્યક્તિના બાળકને જન્મ આપ્યો છે. કિશોરીએ પણ તેના માતા-પિતા સાથે જવાની સ્પષ્ટ ના પાડી દીધી છે.

મળતી માહિતી અનુસાર હાઈકોર્ટે કહ્યું કે, કિશોરી છેલ્લા 4-5 મહિનાથી બાલિકા ગૃહમાં અત્યંત અમાનવીય સ્થિતિમાં તેના બાળક સાથે રહે છે. તે પોતે તદ્દન કરુણામય છે. કોર્ટે બાલિકા ગૃહના સંચાલકને બાળકીને તેના બાળક સાથે છોડી દેવાનો આદેશ આપ્યો છે. આ દરમિયાન, કોર્ટે એ પણ જણાવ્યું હતું કે, નવજાત શિશુને તેના માતાપિતાના પ્રેમથી વંચિત રાખવું અત્યંત ક્રૂર અને અમાનવીય હશે. તેથી તેઓને સાથે રહેવાનું જ કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *