મહેંદીનો રંગ પણ નહોતો ઉડ્યો ત્યાં તો પતિને લગ્નના ચોથા જ દિવસે ઉઠાવી પડી પત્નીની અર્થી

રાજકોટ શહેરમાં ચાર દિવસ પહેલાં જ પરણેલી માનસી સરવૈયા નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાથોની મહેંદી સુકાય તે પહેલા જ…

રાજકોટ શહેરમાં ચાર દિવસ પહેલાં જ પરણેલી માનસી સરવૈયા નામની પરિણીતાએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાથોની મહેંદી સુકાય તે પહેલા જ નવોઢાએ પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના દોઢસો ફૂટ રોડ ઉપર આવેલા ઓમ નગર શેરી નંબર 2માં રહેતી માનસી બેન ભાવિન ભાઈ સરવૈયા નામની 24 વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ઉપરના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધાનો બનાવ સામે આવ્યો છે.

ભાભીએ આત્મહત્યા કરી લીધાની જાણ સૌપ્રથમ તેમના નણંદને થઈ હતી. ભાભીની લાશ લટકતી જોઈ નણંદે દેકારો મચાવી દેતા પરિવારજનો એકઠા થઇ ગયા હતા. એકઠા થઇ ગયેલા પરિવારજનોએ તાત્કાલિક માનસીને નીચે ઉતારી સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર રહેલા ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

જેના કારણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ચોકીથી બનાવ અંગેની જાણ તાલુકા પોલીસને કરવામાં આવી હતી. તાલુકા પોલીસને જાણ થતા જ પીએસઆઇ મોરવાડિયા સહિતની ટીમ હોસ્પિટલ પહોચી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક માનસીના માતા-પિતા રાજકોટ શહેરના મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે.

લગ્ન બાદ તે પોતાના પતિ સાસુ-સસરા સાથે તેમજ નણંદ સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી કર્યા બાદ લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પીએમ રૂમ ખાતે ખસેડવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે, સવારે પિતા સાથે ગોંડલ રોડ ઉપર સૂર્યકાંત હોટલ પાસે રહેતા સંબંધીને ત્યાં ખબર કાઢવા પણ આવી હતી.

જોકે ત્યાંથી નીકળ્યા બાદ ઓમ નગર પોતાના ઘરે ગયા બાદ તેણે આત્મઘાતી પગલું ભરી લીધું હતું. ત્યારે કયા કારણોસર નવોઢાએ આત્મહત્યા કરવાની ફરજ પડી છે તે અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. ચાર દિવસ પહેલા લગ્ન કરેલી યુવતીએ શા માટે આત્મહત્યા કરવાની ફરજ પડી તે અંગે હાલ અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *