ગુજરાત: ફક્ત 14 દિવસમાં જ નવજાત બાળકે કોરોનાને મ્હાત આપીને જીવનની કરી શરૂઆત

હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે રાજ્યમાં આવેલ રાજકોટ શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. બાળકનો જન્મ થાય ત્યારે માતા-પિતા તેમજ પરિવારજનો ખુબ આનંદમાં હોય છે પણ કમનસીબે ભાવિનભાઈ તથા સારીકાબેન સોરઠીયાના પરિવારમાં કોરોનાને લીધે બાળકના જન્મની ખુશી ખુબ પીડાજનક રહી હતી.

બાળક હસતું રમતું હોય, તેના બદલે બાળક કોરોના પોઝિટિવ આવતા ઇન્જેક્શનની સોય, પાટા પીંડી તથા વેન્ટિલેટરની નળીથી ભરેલું નવજાત બાળકનું શરીર કોઈ પણ હિંમતવાનને હચમચાવી દે એવું હતું. આ સ્થિતિમાં બાળકે નવજીવનની હિંમતભેર શરૂઆત કરી.

ફક્ત 14 દિવસમાં સિવિલના પીડિયાટ્રિક વિભાગના દેવદૂતોએ બાળક તેમજ તેના પરિવારજનોની આ પીડાનો અંત લાવી ફરી ખુશીની લહેર લહેરાવી હતી. બાળકના માતા સારીકાબેન સોરઠીયા તથા પિતા ભાવિનભાઈને કોરોના પોઝિટિવ હતો. સારીકાબેન ગર્ભવતી હોવાંથી તેમને ખાનગી દવાખાનામા સારવાર દરમ્યાન સંજોગોવશાત પ્રિમેચ્યોર ડીલેવરી કરવી પડી હતી.

બાળકનો કોરોના ટેસ્ટ કરાવતા બાળક પોઝિટિવ આવ્યું હતું. આવી પરિસ્થિતિમાં ખાનગી હોસ્પિટલમાંથી બાળકને વેન્ટિલેટર સાથે સિવિલના કોવિડ-19 હોસ્પિટલના બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવ્યું હતું. જન્મ સમયે બાળકનું વજન ફક્ત 2 કિલો હતું.

બાળકની સ્થિતિ ખુબ ગંભીર હોવાંથી સિવિલના બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સની ટીમ દ્વારા તેની સારવાર શરુ કરવામાં આવી હોવાનું ડો. કોમલ મેંદપરાએ જણાવતાં કહ્યું છે. ડો. કોમલ કહે છે કે, બાળકની સારવાર માટે જરૂરી બધાં જ રીપોર્ટ કરવામાં આવ્યા હતાં, જેમાં ડી – ડાઈમર, એફ. ફેરિટિનમાં વધુ વેલ્યુ આવતા તેને ખાસ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. શરૂઆતમાં બાળકને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યું હતું.

ત્યારપછી પરિસ્થિતિ સુધરતા તેને શરૂઆતમાં એર-વે તથા ત્યારબાદ ઓક્સિજન પર રાખવામાં આવ્યું હતું. આ સમય દરમ્યાન બાળકને માતાનું દૂધ મળી રહે તેની માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. બાળકની રિકવરી ખુબ ઝડપથી થતા 14 દિવસ પછી તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ છે.

બાળકના પિતા ભાવિનભાઈ કહે છે કે, મારા બાળકને નવજીવન મળ્યું છે. કોરોના સામે બાળકની કરવામાં આવેલ વિશેષ સારવારથી તેઓ સિવિલના સ્ટાફનો આભાર માને છે. એવું કહેવામાં આવે છે કે, ‘‘જેને રામ રાખે તેને કોણ ચાખે’’. આ ઉક્તિને સાર્થક કરતાં જન્મતાંની સાથે જ કોરોનાગ્રસ્ત બાળકે કોરોના જેવી મહામારીને પણ કુદરતે વરસાવેલી અસીમ કૃપા તેમજ દેવદૂત સમાન ડોટર્સની મહેનત વડે મહાત આપી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *