એવું તો શું દુઃખ આવી પડ્યું કે, હજુ ત્રણ મહિના અગાઉ જ પ્રેમ લગ્ન કરેલ ગોંડલની પરિણીતાએ કરી લીધો આપઘાત

ગુજરાત: રાજકોટ (rajkot) જિલ્લામાં આવેલ ગોંડલ શહેરમાં (Gondal) વધુ એક પરિણીતાએ પોતાના સાસરિયા (married women harassment) પક્ષના લોકોનો ત્રાસ સહન ન થતા આપઘાત કરીને પોતાનું…

ગુજરાત: રાજકોટ (rajkot) જિલ્લામાં આવેલ ગોંડલ શહેરમાં (Gondal) વધુ એક પરિણીતાએ પોતાના સાસરિયા (married women harassment) પક્ષના લોકોનો ત્રાસ સહન ન થતા આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી (married woman suicide) લીધું છે. ફક્ત 3 મહિના અગાઉ યુવતીનાં પ્રેમ લગ્ન (love marriage) થયા હતા.

ફક્ત 3 મહિનામાં યુવતી નહીં પણ યુવતીની લાશ માતા-પિતાના ઘરે પહોંચી હતી. રવિવારે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં મોટી સમાજમાં સિંધી સમાજના લોકો પહોંચ્યા હતા. સિંધી સમાજની દીકરીને જે કોઈ લોકો દ્વારા ઢોરમાર મારવામાં આવ્યો એ બધા જ લોકોની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.

આની સાથે જ તાત્કાલિક અસરથી તમામની ધરપકડ થાય કે, જેથી પીડિત પરિવારને ન્યાય મળે એવા પ્રકારની માંગ ભેગા થયેલા સિંધી સમાજના લોકો દ્વારા કરાઈ હતી. આ સમયે ગણતરીની કલાકોમાં જ ગોંડલ પોલીસ દ્વારા મૃતક ભાવિકા શર્માના સાસરિયાઓની વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

ગોંડલ શહેરના આવકાર રેસિડેન્સીમાં સાસરિયાઓના ત્રાસને લીધે 3 મહિના અગાઉ જ પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ ગળાફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવી લીધું છે. આ સમગ્ર મામલે રાજકોટની સિંધી કોલોની ઝુલેલાલ નગરમાં રહેતા ભાવિકાબેનના માતા મમતાબેન અશોકભાઈ શર્માએ ભાવિકા બેનના પતિ ચિરાગ, સાસુ સોનલબેન, સસરા સંજયભાઈ તથા દિયર રિતિકની વિરુદ્ધ મરવા માટે મજબૂર કરવા વિશે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

સમગ્ર મામલે 3 મહિના પહેલા જ ભાવિકાના પ્રેમલગ્ન તેના પરિવારે રાજી ખુશીથી આહિર સમાજના યુવક ચિરાગ બલદાણીયાની સાથે કર્યા હતા. લગ્ન કર્યાના 20 દિવસ પછી સાસરીયા પક્ષ તરફથી પરિણીતાને માનસિક ત્રાસ અપાતો હતો. તેનો દિયર પણ તેની સાથે રિલેશનશિપ રાખવા માટે ત્રાસ આપતો હોવાની બાબતની જાણ યુવતીએ તેની માતાને કરી હતી.

ગઇકાલે રાત્રે પરિણીતાને ઢોરમાર મરાતાં તેનું મોત નીપજયું હોવાનું પરિવારજનોએ આક્ષેપ મુક્યો છે. આની સાથે જ પરિવારજનોએ સમગ્ર મામલે પોલીસને છાવરવામાં આવી રહી હોવાનો અક્ષય પણ લગાવ્યો હતો. જેને લીધે પરિવારજનો રવિવારે બપોરના સમયે યુવતીના મૃતદેહને લઈ શહેરની સિવિલમાં લઈ આવ્યા હતા.

આની સાથે જ જ્યાં સુધી ન્યાય ન મળે ત્યાં સુધી દીકરીની લાશ નહિ સ્વીકારીએ તેવું પણ કહ્યું હતું. આ સમગ્ર મામલે પરિવારજનોએ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાયું છે ત્યારે રિપોર્ટ આવ્યા પછી જ યુવતીના મોતનું સાચુ કારણ સામે આવી શકશે. આમ, વધુ એક સાસરિયાઓના ત્રાસને લીધે લાડકવાઇ દીકરીએ પોતાનું જ ગળું ઘૂંટી મોતને વ્હાલું કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *