ગુજરાતમાં આ તારીખથી બંધ થઇ જશે CNG ગેસનું વેચાણ

ગુજરાત(GUJARAT): રાજ્યભરમાં ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોશિયાએશન સાથે જોડાયેલ તમામ CNG પંપના ડિલર્સો ફરી એકવાર આકરા પાણીએ થયા છે. CNGમાં માર્જિનમાં વધારો ન થતાં સર્વાનુમતે તારીખ…

ગુજરાત(GUJARAT): રાજ્યભરમાં ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોશિયાએશન સાથે જોડાયેલ તમામ CNG પંપના ડિલર્સો ફરી એકવાર આકરા પાણીએ થયા છે. CNGમાં માર્જિનમાં વધારો ન થતાં સર્વાનુમતે તારીખ 03 માર્ચ 2023ને શુક્રવારે સવારે 07 કલાકથી અચોક્કસ મુદ્દત માટે CNGનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. CNGનું વેચાણ બંધ કરી ડિલર્સ વિરોધ નોંધાવવાના છે.

CNG ડીલર્સ માર્જિન 55 મહિનાથી ના વધતા લેવાયો નિર્ણય:
ગુજરાત પેટ્રોલ ડીલર્સ એસોશિયાએશન સાથે જોડાયેલ તમામ CNG પંપના ડિલર્સના માર્જિનમાં વધારો ન થતાં 3 માર્ચના રોજ CNGનું વેચાણ બંધ રાખી વિરોધ કરશે. ડિલર્સે વારંવાર રજૂઆત કરવા છતા માંગ ન સ્વીકારતાં આખરે આ નિર્ણય લીધો છે. છેલ્લા 55 મહિનાથી માર્જિનમાં કોઈ જ પ્રકારનો વધારો કરવામાં ન આવતાં CNG પંપ બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો છે.

FGPDA (ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલીયમ ડીલર્સ એસોસીએશનન)ના તમામ કમિટી સભ્યોએ એક સૂચના બહાર પાડી છે. જેમાં તેમણે લખ્યું છે કે, CNG ડીલર માર્જીન છેલ્લા 55 મહીનાથી વધ્યું નથી, તે અંગે આપણા ફેડરેશન તરફથી અનેક પત્રો લખ્યા, મીટીંગ કરી તેમ છતાં આપણું ડીલર માર્જીન વધાર્યુ નથી માટે ગુજરાચ રાજ્યના તમામ CNG ડીલરોએ તા.3-3-2023ને શુક્રવારે સવારે 7 કલાકથી CNGનું વેચાણ અચોક્સ સમય માટે બંધ રહેશ. જેમાં એક નોધ પણ લખેલી છે કે,ગુજરાત ગેસ ફ્રેન્ચાઈઝી ડીલર્સ પણ આપણી સાથે બંધમાં જોડાયા છે.

વાહન ચાલકોને વેઠવી પડશે હાલાકી 
અત્રે ઉલ્લેખનીય છે કે, CNG ડીલરોને યોગ્ય પ્રમાણમાં કમિશન આપવામાં ના આવતુ હોવાની ફરીયાદને લઇને ગુજરાતમાં રહેલા સી.એન.જી પંપના ધારકો 3 માર્ચે હળતાળ પર ઉતરશે. CNG પંપ ધારકો હડતાળ પર ઉતરશે જેને લઈ રીક્ષા અને કાર ચાલકોને પરેશાની વેઠવાનો વારો આવશે. માગ પુરી ન થાય ત્યાં સુધી પંપના માલિકો દ્વારા હડતાળ યથાવત્ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *