ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરનું ખોદકામ કરતા મળ્યું પ્રાચીન 2 ફૂટ ઊંચું શિવલિંગ

મંદિરો અને ઘરમાં ખોદ કામ કરતા ઘણી પ્રાચીન મૂર્તિઓ,સિક્કાઓ,અને બીજી ઘણી વસ્તુઓ મળતી હોય છે.તેવો જ એક ઉજ્જૈનના મહાકાળેશ્વર મંદિરનો સામે આવ્યો છે.મહાકાલ પરિસરમાં 1 વર્ષથી મહાકાળેશ્વર મંદિર પરિસરના વિસ્તરણ માટે ખોળ કામ ચાલી રહ્યું છે.ઉજ્જૈનમાં મહાકાળેશ્વર મંદિરના ખોળ કામ દરમિયાન એક શિવલિંગ અને બુધવારે સવારે વિષ્ણુ ભગવાનની મૂર્તિ મળી છે. પુરાતત્વ વિભાગના નિષ્ણાતોની હાજરીમાં શિવલિંગને બહાર કાઢવામાં આવી રહ્યું છે.

બુધવારે સવારે પુરાતત્વ વિભાગના નિષ્ણતોની ટીમ ઉજ્જૈન પહોંચી ગઈ છે. પુરાતત્ત્વ વિભાગના જણાવ્યા મુજબ જળાધારી શિવલિંગ 9થી 10ની સદીના સમયનું છે. વિષ્ણુની મૂર્તિ 10મી સદીની છે. મંદિર પરિસરમાં પહેલાં મળેલા પરમારકાલીન મંદિરથી આ શિવલિંગ અલગ છે, કારણ કે પરમારકાલીન મંદિર 11મી સદીનું છે.

મહાકાલ મંદિરમાં ખોદકામ દ્વારા મેમાં 11મી શતાબ્દીનું પરમારકાલીન મંદિરનું માળખું મળ્યું હતું. મંદિરનું આખું માળખું હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. મંદિર પરમારકાલીન વાસ્તુકલાથી નિર્મિત હતું, મંદિર જોવામાં ખૂબ સુંદર લાગતું હતું.

વિસ્તરણ માટે મંગળવારે આગળની બાજુ ખોદકામ દ્વારા 1 મોટું શિવલિંગ જમીનના ભૂગર્ભમાં દેખાયું હતું. ત્યાર બાદ ધીમે ધીમે ખોદકામ કરવામાં આવ્યું તો શિવલિંગની આખી જળાધારી સામે આવી. શિવલિંગની લંબાઈ અંદાજે પોણાબે ફૂટ છે. મંદિર પ્રશાસના અધિકારીઓને જ્યારે શિવલિંગની માહિતી મળી તો તેમણે ખોદકામવાળી જગ્યાએ શિવલિંગને ચાદરથી ઢાંકી દીધું હતું અને પુરાતત્વ વિભાગના શોધક અધિકારી દુર્ગેંદ્ર સિંહ જોધાને માહિતી આપી હતી.

30 મેના રોજ મહાકાલ મંદિરના આગળના ભાગમાં ખોદકામ દ્વારા માતાની મૂર્તિ અને સ્થાપત્ય ખંડના અમુક અવશેષો મળ્યા હતા. હાલ પુરાતત્વ વિભાગ અવશેષ ખંડની પણ શોધ કરવામાં આવી રહી છે. માતાની મૂર્તિ અને સ્થાપત્ય ખંડના અવશેષ મળવાની માહિતી સંસ્કૃતિ વિભાગને મળતાં જ તેમણે તરત પુરાતત્વ વિભાગ, ભોપાલની ચાર સભ્યની 1 ટીમને મહાકાલ મંદિર માટે મોકલી દેવામાં આવી હતી.

ઉજ્જૈન પહોંચેલી 4 સભ્યની ટીમે બારીકાઈથી મંદિરના ઉત્તર ભાગ અને દક્ષિણ ભાગનું નિરીક્ષણ કર્યું છે. ટીમને લીડ કરતાં પુરાત્ત્વીય વિભાગના અધિકારી ડૉ.રમેશ યાદવના જણાવ્યા મુજબ ,મંદિરના ઉત્તરી ભાગમાં 11મી અને 12મી સદીનું મંદિર નીચે દબાયેલું છે, જ્યારે દક્ષિણ બાજુ 4 મીટર નીચે 1 દીવાલ મળી છે, જે અંદાજે 2100 વર્ષ જૂની હોવાની શક્યતા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *