પાલીતાણા દર્શને ગયેલા અ’વાદી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકો મોતને ભેટ્યા

જાલોરમાં ભીનમાલના મોરસીમ ગામમાં રહેતા એક જૈન પરિવારના 5 લોકોના માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજ્યા હતા. મૃતકોમાં બે મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે. પાલિતાણા તીર્થધામથી દર્શન કરી પરિવાર રવિવારે રાત્રે અમદાવાદ પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન અમદાવાદ-ભાવનગર હાઈવે પર આવેલા અઠેલા ચોકડી પાસે રાત્રે સાડા દસ વાગ્યે ટ્રકે તેમની કારને ટક્કર મારી હતી. આ ભયાનક અકસ્માતમાં મહાવીર જૈન (40), પત્ની રમીલા જૈન (31), પુત્ર જૈનમ (9), સાસુ પુષ્પા દેવી (60) અને સાળા નરેશ જૈન (32)નું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

અમદાવાદમાં મેટલનો ધંધો, પરિવાર ત્યાં જ રહેતો હતો
મહાવીર જૈનનો અમદાવાદમાં મેટલનો વ્યવસાય હતો. તે ત્યાં વિરાટ નગર સ્થિત કેપી ફ્લેટમાં રહેતો હતો. તેમના સાળાનો મુંબઈમાં સોના-ચાંદીનો બિઝનેસ છે. તાજેતરમાં જ મહાવીર અને તેની વહુનો પરિવાર તેમના ગામ મોરસીમ આવ્યો હતો. મહાવીર જૈનના માતા-પિતા તેમના ગામમાં રહે છે. મહાવીરને બે પુત્ર અને એક પુત્રી છે. તેમાંથી એક પુત્ર જૈનમનું અવસાન થયું હતું અને બીજા પુત્ર અને પુત્રીને તેના ભાઈના ઘરે છોડીને તે દર્શન માટે નીકળી ગયા હતા.

6 બહેનોનો એકમાત્ર ભાઈ હતો નરેશ
મૃતક મહાવીર જૈનનો સાળો નરેશ જૈન 6 બહેનોનો એક માત્ર ભાઈ હતો. તેના લગ્ન 2 વર્ષ પહેલા જ થયા હતા. તેમની પત્ની ગર્ભવતી હોવાથી તેમના પિયર ગઈ હતી. અકસ્માતમાં કાર સંપૂર્ણ કચડાઈ ગઈ હતી. મૃતકોના શરીરમાંથી ભારે લોહી વહેતું હતું. ઘટનાને પગલે સ્થાનિક લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ, પરંતુ ત્યાં તમામને મૃત જાહેર કરવામાં આવ્યા.

પરીક્ષા હોવાથી પુત્ર અને પુત્રી બંને ઘરે જ રહ્યા, બચી ગયા
મહાવીરનો પુત્ર આર્યન અને પુત્રી હિમાંશી પરીક્ષાના કારણે અમદાવાદમાં જ રોકાયા હતા. જેથી તેનો જીવ બચી ગયો હતો. મહાવીરના 65 વર્ષીય પિતા રતનલાલ અને માતા લુની દેવી મોરસિમમાં રહે છે. તેનો એક અપરિણીત ભાઈ પણ છે. બંને બાળકો હવે દાદા-દાદી પર નિર્ભર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *