ભાવનગરમાં નવયુવાને ગળેફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો- સુસાઈડ નોટમાં થયો ઘટસ્ફોટ

ગુજરાત: ભાવનગર (Bhavnagar) શહેર (City) ના RTO (Regional Transport Office) રોડ પર રહેતાં એક નવ યુવાને લેણદારોના સતત ત્રાસથી કંટાળીને પોતાના જ ઘરે ગળે ફાંસો…

ગુજરાત: ભાવનગર (Bhavnagar) શહેર (City) ના RTO (Regional Transport Office) રોડ પર રહેતાં એક નવ યુવાને લેણદારોના સતત ત્રાસથી કંટાળીને પોતાના જ ઘરે ગળે ફાંસો (Swallow traps) ખાઈને આપઘાત કરી લીધો હતો કે, જેથી પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. મૃતક યુવાને આપઘાત કરતાં પહેલા એક સુસાઈટ નોટ પણ લખી છે.

જેને આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે D-ડીવીઝન પોલીસ મથકથી જાણવા મળતી જાણકારી પ્રમાણે શહેરના RTO રોડ પરનાં શીવમનગરમા રહેતો તેમજ બોરતળાવ રોડ પર પાન-માવાનો ગલ્લો ધરાવતા બ્રિજેશ વસંતભાઈ નાકરાણીએ આજરોજ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતાં પરીવારે પોલીસને જાણ કરી હતી.

જેને લીધે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો તેમજ આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી. મૃતકે ગળેફાંસો ખાતાં પહેલા સુસાઈડ નોટ લખી હતી કે, જેમાં સુરતનાં કોઈ શખ્સો દ્વારા મૃતકને નાણાં અંગે શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો. જેથી કંટાળીને અંતિમ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

આની સાથે જ જે કોઈપણ વ્યક્તિઓ હેરાન કરતાં હતાં તેમજ નાણાંકીય વ્યવહારનો ઉલ્લેખ કરીને માતા-પિતા તથા પરિવારની માફી માંગવામાં આવી હતી. આ નોટ પોલીસ દ્વારા કબ્જે કરીને લાશ પોસ્ટમોર્ટમ માટે સર.ટી હોસ્પિટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રાજ્યમાંથી ઉત્તરોત્તર વ્યાજખોરોનાં આતંકથી કંટાળીને આપઘાત કરી લેતા હોય એવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટનાને લઈ આપણે માહિતગાર થયા. આ ઘટના બનતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો તેમજ પરિવારે દીકરો ગુમાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *