AAP માટે સુપ્રીમકોર્ટથી રાહતના સમાચાર: ક્યા નેતાને આપ્યા જામીન જાણો જલ્દી

Sanjay singh Bail: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી…

Sanjay singh Bail: આમ આદમી પાર્ટીના સાંસદ સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળી ગયા છે. સુપ્રીમ કોર્ટે મંગળવારે સંજય સિંહની જામીન અરજી પર સુનાવણી કરતી વખતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને ઘણા પ્રશ્નો પૂછ્યા હતા. સુપ્રીમ કોર્ટે EDને પૂછ્યું હતું કે સંજય સિંહ 6 મહિનાથી(Sanjay singh Bail) જેલમાં છે અને તેમની પાસેથી કોઈ પૈસા મળ્યા નથી. અત્યારે પણ ED સંજય સિંહને કસ્ટડીમાં રાખવા માંગે છે તો શા માટે તેમને કસ્ટડીમાં રાખવાની જરૂર છે?

સંજય સિંહના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે તેમની વિરુદ્ધ કોઈ નિવેદન નથી. ચાર્જશીટમાં ક્યારેય આરોપી તરીકે તેમનું નામ નહોતું. માત્ર બે વાર 1 કરોડ રૂપિયા લીધા હોવાનું કહેવાયું હતું.પરંતુ તમામ આક્ષેપો તદ્દન ખોટા છે. આ કેસની સુનાવણી દરમિયાન EDએ જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જામીનની શરતો નીચલી કોર્ટ નક્કી કરશે.

EDએ શું કહ્યું?
EDએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેને દિલ્હી લિકર પોલિસી કેસમાં AAP નેતા સંજય સિંહને જામીન આપવા સામે કોઈ વાંધો નથી. આ પછી સુપ્રીમ કોર્ટે સંજય સિંહને જામીન આપ્યા હતા.

ધરપકડ ક્યારે કરવામાં આવી?
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા ગત વર્ષે 4 ઓક્ટોબરે સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. EDએ અગાઉ કોર્ટને જણાવ્યું હતું કે સંજય સિંહ દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22માં દારૂની કંપની પાસેથી લાંચ લેવાના કાવતરાનો ભાગ હતો. દિલ્હીની આબકારી નીતિ ઓગસ્ટ, 2022 માં રદ કરવામાં આવી હતી અને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે બાદમાં CBIને કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.

AAP નેતાએ ફેબ્રુઆરીમાં સુપ્રીમ કોર્ટમાં દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો, જેણે તેમને દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હીથી રાજ્યસભામાં ફરીથી ચૂંટાયેલા સિંહની જામીન અરજી ફગાવી દીધી હતી, પરંતુ ટ્રાયલ કોર્ટને ટ્રાયલ ઝડપથી શરૂ કરવા નિર્દેશ આપ્યો હતો.EDએ હાઈકોર્ટમાં દાવો કર્યો હતો કે સિંહ કથિત કૌભાંડમાં મુખ્ય કાવતરાખોર હતા અને તેમને ગુનામાંથી 2 કરોડ રૂપિયાની આવક થઈ હતી.