સુરતમાં 22 વર્ષીય યુવકે રૂમ બંધ કરી ગળેફાંસો ખાધો, વ્હાલસોયા દીકરાને લટકતો જોઈ પરિવાર શોકમાં ગરકાવ

Surat news: રાજ્યમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક આપઘાત(Surat news)ની ઘટના રાજ્યના સુરત શહેરમાંથી સામે આવી રહ્યો છે.…

Surat news: રાજ્યમાં દિવસે ને દિવસે આપઘાતના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે. તેવી જ એક આપઘાત(Surat news)ની ઘટના રાજ્યના સુરત શહેરમાંથી સામે આવી રહ્યો છે. શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતા 22 વર્ષીય યુવકને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.યુવકના આપઘાતનું કારણ હાલ સામે આવ્યું નથી. આ સમગ્ર મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

મૃતક પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો
મળતી માહિતી અનુસાર, મૂળ ઓડીશાનો વતની અને હાલમાં સુરતના પાંડેસરા રાધેશ્યામ નગર સોસાયટી પાસે બીકાસ ચંદ્રા ગૌડા પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં બે ભાઈ અને બે બહેન છે. તેમજ બીકાસ સંચા ખાતામાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો.

એકલતાનો લાભ લઈ આપઘાત કરી લીધો
દરમિયાન બીકાસે આજે એકલતાનો લાભ લઈને ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રૂમ બંધ હોવાથી પરિવારે તિરાડમાંથી જોતા દીકરો લટકેલી હાલતમાં જોવા મળ્યો હતો. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

પોલીસે અકસ્માતે ગુનો નોંધ્યો
યુવકના આપઘાતનું કારણ હાલ સામે આવી રહ્યું નથી. યુવકના મામાએ જણાવ્યું છે કે, આપઘાતનું કારણ પણ અમે શોધી રહ્યાં છીએ. કોઈ એવું પણ સામે આવ્યું નથી કે તે આપઘાત કરી લે. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી શરુ કરી દીધી છે.