વીડિયો વાયરલ થયા બાદ સરકારી અનાજ કૌભાંડમાં દુકાનદારનો પરવાનો રદ

પોતાને કોઇ પગાર કે કમિશન નહીં મળતું હોવાથી લાભાર્થીને સરકારી અનાજ ઓછું આપવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી દુકાનદાર…

પોતાને કોઇ પગાર કે કમિશન નહીં મળતું હોવાથી લાભાર્થીને સરકારી અનાજ ઓછું આપવાનો વીડિયો વાયરલ થયો હતો. આ પ્રકરણમાં જિલ્લા પુરવઠા અધિકારીએ તાત્કાલિક અસરથી દુકાનદાર બાબુલાલ ખટીકનો પરવાનો રદ કરી દીધો છે.

જિલ્લા પુરવઠા વિભાગે તપાસ કરી

કાપોદ્રા માલીબા કોમ્પલેક્ષમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાન ધરાવતા બાબુલાલ ચંપાજી ખટીક લાભાર્થીને માત્ર વ્યક્તિ દીઠ રૂ.500 ચોખા આપવાનું જણાવ્યું હતું. અને પોતાને કોઇ પગાર કે કમિશન નહીં મળતું હોવાના કારણે પોતે ઓછું અનાજ આપતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયો સાથે જિલ્લા પુરવઠા અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી. આ ફરિયાદની તપાસમાં દુકાનમાં જરૂરી હાજર જથ્થા કરતા ઘઉંનો 281.5 કિલો, ચોખાનો 133.5 કીલો જથ્થો વઘુ, જ્યારે 9 કિલો દાળની ઘટ જણાય હતી.

પરવાનો તાત્કાલિક અસરથી મોકૂફ

આ ઉપરાંત તેમણે વ્યાજબી ભાવની દુકાન અંગેનું બોર્ડ ગ્રાહકોને સહેલાઈ જોઇ શકાય તેવી રીતે લગાવ્યું ન હતું. અન્ન અને આયોગને ફરિયાદનું બોર્ડ લગાવ્યું ન હતું. તથા ભાવ જથ્થાનો નિભાવ નહીં કર્યો હોવાનું જણાયું હતું. આ રીતે ગેરરીતિ પકડાતા પુરવઠા વિભાગ દ્વારા ગુજરાત આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ હેઠળ બાબુલાલ ખટીકનો પરવાનો તાત્કાલિક અસરથી મોકૂફ કરી દીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *