વડગામ ગામે માતાએ ત્યજી દીધેલું જીવિત નવજાત શિશુ આંખ ખોલે તે પહેલાં મોતને ભેટ્યું

વડગામ(ગુજરાત): હાલમાં રાજ્યના વડગામમાંથી એક ચક્ચારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં મેગાળ ગામેથી એક તાજું જન્મેલ નવજાત શિશુ મળી આવતાં સમગ્ર પંથકમાં હોબાળો મચી જવા પામ્યો હતો. લોકોએ આ નવજાત શિશુની ક્રૂર જનેતા ઉપર ફિટકાર વરસ્યો હતો. જોકે, શિશુ જીવિત હોવાના કારણે તેને તાત્કાલિક 108 દ્વારા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. પરતું, નવજાત શિશુનું આંખ ખુલે તે પહેલા જ મોપ્ત નીપજ્યું હતું.

મળતી માહિતી મુજબ, રવિવાર બપોરના સમયે મેગાળ ગામે આવેલ ભીખાભાઇ પટેલની ઘરની નવોળીમાં જમીન ઉપર ઉગેલ ઘાસમાં શરીરે ઉઝરડા પડેલ હાલતવાળું એક નવજાત તાજું જન્મેલ શિશુ ત્યજી દીધેલી હાલતમાં પડેલ હોવાની જાણ ભીખાભાઇને થતા તેમણે તાત્કાલિક કેશરભાઈને બોલાવતા શિશુ જીવિત હોવાનું જણાતાં બુમાબુમ કરી હતી જેથી લોકોના ટોળાં એકત્રિત થઈ ગયા હતા.

ત્યારબાદ, તાત્કાલિક નવજાત શિશુને સારવાર માટે 108 દ્વારા સિવિલમાં ખસેડવામાં આવ્યું હતું. જયાં સારવાર દરમિયાન કમનસીબ શિશુ આંખ ખોલે તે પહેલાં દુનિયાને અલવિદા કરી દીધી હતી. આ અંગે કેશરભાઈ ચૌધરી દ્વારા અજાણી ક્રૂર માતા વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જોકે, આ સમગ્ર ઘટના બાદ માતાની મમતાને લાંછન લગાડનાર ક્રૂર માતા ઉપર ફિટકાર વરસી રહી છે. હાલ આ સમગ્ર પ્રકરણ બાબતે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *