ઉત્તરાયણના પાવન પર્વ પર જ નવદંપતીને ભરખી ગયો કાળ- નાની ઉંમરે પતી પત્નીના કરુણ મોત

હળવદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક રુવાડા બેઠા કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં હળવદ(Halwad)ના અજિતગઢ(Ajitgarh)થી માળીયા તરફ કેનાલના રસ્તે…

હળવદ(ગુજરાત): આજકાલ વધી રહેલી અકસ્માત(Accident)ની ઘટનાઓ દરમિયાન ફરીવાર રાજ્યમાંથી એક રુવાડા બેઠા કરી દેતી ઘટના સામે આવી છે. જેમાં હળવદ(Halwad)ના અજિતગઢ(Ajitgarh)થી માળીયા તરફ કેનાલના રસ્તે જઈ રહેલી અજિતગઢના નવદંપતીની કાર જુના અને નવા ઘાટીલા વચ્ચે મંદરકીના નાળા નજીક કેનાલમાં ખાબકતા આ નવદંપતીનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાને પગલે હળવદ પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે.

જાણવા મળ્યું છે કે, કાર કેનાલમાં ખાબકતાં બંને ગાડીના કાચ તોડીને બહાર નીકળી ગયા હતા અને બોનેટ પર ચઢી ગયા હતા. તેમજ એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં રાંઢવુ પણ નાખ્યું હતું અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ પણ તેઓ બચી શક્યા નહોતા.

મળતી માહિતી મુજબ, હળવદ તાલુકાના અજીતગઢ ગામે રહેતા રાહુલભાઈ પ્રવીણભાઈ ડાંગર (ઉંમર વર્ષ 22) અને તેમના ધર્મ પત્ની મિતલબેન રાહુલભાઈ આહીર આજે શનિવારે સવારે અજીતગઢ ગામેથી કારમાં માળીયાના મેઘપર ગામે સગાઇના પ્રસંગમાં જવા નીકળ્યા હતા. આ દરમિયાન, જુના અને નવા ઘાટીલા નજીક મંદરકી ગામના નાલા નજીક પસાર થતી વખતે માળીયા બ્રાંચની નર્મદા કેનાલમાં તેઓની કાર ખાબકી હતી.

ઘટનાની જાણ થતાં આજુબાજુના લોકો કેનાલમાં શોધખોળ કરી હતી. જેમાં મિત્તલબેનના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા બાદ રાહુલભાઈની શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને કલાકો બાદ રાહુલભાઈનો મૃતદેહ પણ મળી આવતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નોંધનીય છે કે, અકાળે મોતને ભેટનાર રાહુલભાઈ અને મિતલબેનના લગ્ન દસેક મહિના પહેલા જ થયા હતા અને સગાઈમાં જતી વખતે જ આ કરુણ ઘટના બનતા આહીર પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, બંને જણા ગાડીના કાચ તોડીને બહાર નીકળી જઇને બોનેટ પર પણ ચઢી ગયા હતા. આ ઉપરાંત એક ભાઇએ એમને બચાવવા માટે કેનાલમાં દોરડું પણ નાખ્યું હતુ અને આ નવદંપતીએ દોરડું પકડી પણ લીધુ હતુ. પણ દુર્ભાગ્યવશ તેઓ બચી શક્યા નહોતા. આ ઘટનાની જાણ થતા જ આજુબાજુના ગામના ગ્રામજનો તેમજ ટીકર જિલ્લા પંચાયતના સદસ્ય ધર્મેન્દ્ર ભાઈ એરવાડીયા, અજીતગઢ ગામના સરપંચ રજનીભાઈ પટેલ, અશ્વિનભાઈ આહિર સહિતના મોટી સંખ્યામાં લોકો કેનાલ કાંઠે દોડી આવ્યા હતા. આ ઉપરાંત, ઘટનાની જાણ થતા માળીયા પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી પહોચી હતી અને દંપતિના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *