28મીએ સિવિલતંત્રએ અગ્નિસંસ્કાર કર્યો, બે દિવસ બાદ પરિવારને ફોન આવ્યો દર્દી સ્વસ્થ છે લઇ જાવ

ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી સિવિલની હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. નિકોલના એક દર્દીને ડાયાબિટીસ વધી જતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને…

ગુજરાતના અમદાવાદ શહેરમાં આવેલી સિવિલની હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. નિકોલના એક દર્દીને ડાયાબિટીસ વધી જતા તેને સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને તેમનું 22 કલાકની અંદર તેમનું મોત નિપજ્યું હતું. દર્દીના પરિવારના બે સભ્યોએ PPE કીટ પહેરી અંતિમ વિધિ પૂર્ણ કરી હતી. પરિવારના સભ્યોને દર્દીઓનો અંતિમવાર ચહેરો પણ જોવા મળ્યો ન હતો. જોકે 30 મેએ સિવિલ હોસ્પિટલ માંથી ફોન આવ્યો કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેને જનરલ વોર્ડમાં દાખલ કર્યો. ફોન પર આવા શબ્દો સાંભળતા જ પરિવાર ચિંતામાં મુકાયો કે તેમણે આખરે કોનો અંતિમ સંસ્કાર કર્યો?

અમદાવાદની સિવિલ હોસ્પીટલમાં એક પછી એક બેદરકારીઓ સામે આવી રહી છે. ત્યારે અમદાવાદના નિકોલના દેવરામભાઈના દર્દીને દાખલ કર્યાં બાદ મોત નીપજ્યું હતું તો પરિવારે અંતિમ વિધિ કર્યાં બાદ ફોન આવ્યો કે દર્દીનો રિપોર્ટ નેગેટિવ છે. મોત કેવી રીતે થયું તેને લઈને સિવિલ પ્રશાસન શંકાના ઘેરામાં છે. અને જો મોત થઇ હોય તો હોસ્પિટલે અંગ્ગની સંસ્કાર કોનો કર્યો હશે? એ મોટો સવાલ છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ જે કોરોના બાદ હવે અન્ય રોગોના દર્દીઓ માટે પણ મોતની હોસ્પિટલ બની ગઈ છે. નિકોલના પુરુષોત્તમ નગર વિસ્તારમાં રહેતા દેવરામભાઈ નામના વૃદ્ધને ડાયાબીટીસ વધતા તેમને 28 મેના રોજ દાખલ કરવામાં આવ્યા હતાં ત્યાર બાદ પરિવારજનોને ઘરે જવાની સૂચના મળી હતી અને પરિવારના લોકોએ દેવરામભાઈ સાથે વીડિયો કોલ મારફતે વાતચીત કરી હતી.

દર્દીને દાખલ કર્યાંના 22 કલાકમાં એટલે કે 29 મેના રોજ દેવરામભાઈના મોતના સમાચાર આવ્યા હતાં. શરૂઆતમાં પરિવાર માની ન શક્યો કે ડાયાબિટીસના કારણે મોત નીપજ્યું કે કેમ? કારણ કે દેવરામભાઈને શંકાસ્પદ હોવાના કારણે કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 29 મેના રોજ બપોરે 4 કલાકે PPE કીટ પહેરીને પરિવારના સભ્યોએ દેવરામભાઈનો અગ્નિ સંસ્કાર કર્યો હતો અને અગ્નિ સંસ્કારના એક દિવસ બાદ ફરી સિવિલના કંટ્રોલ સેન્ટરથી ફોન આવ્યો કે દેવરામભાઈને કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે જેથી તેમને જનરલ વોર્ડમાં દાખલ કર્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *