સૌરાષ્ટ્રના આ શહેરમાં નોંધાયો લવ જેહાદનો પહેલો કેસ, ધર્મપરિવર્તન માટે મુસ્લિમ યુવાન કરી રહ્યો હતો દબાણ

રાજ્યમાં લવ જેહાદનો કાયદો બન્યા બાદ દિવસેને દિવસે લવ જેહાદનો કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કાયદો લાગુ થયા બાદ યુવતીઓ જબરદસ્તી ધર્મ પરિવર્તન અને માનસિક ત્રાસને લઈને લઈને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી રહી છે. ત્યારે હવે લવ જેહાદનો એક કેસ સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.

સૌરાષ્ટ્રના રાજકોટ શહેરના ધોરાજીમાંથી લવ જેહાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધીને પોતાના ચક્રો ગતિમાન કર્યા છે. રાજકોટ શહેરના રાધાનગર વિસ્તારમાં રહેતો પરણિત મુસ્લિમ યુવાન હિંદુ યુવતીને ધર્મપરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપી રહ્યો હતો.

યુવાને ઈન્સ્ટાગ્રામ પર ધાર્મિક લેખ લખીને મોકલી આપ્યો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ છે. તેમજ તેમણે મુસ્લિમ ધર્મ અપનાવી લેવા માટે સતત યુવતીને માનસિક ત્રાસ આપી રહ્યો હતો. આ ઘટના અંગે લવ જેહાદના પગલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. હાલમાં આ ઘટનાના આધારે પોલીસે પોતાની તપાસ હાથ ધરી છે.

આ પહેલા વડોદરા ફતેગંજ પોલીસ સ્ટેશનમાં લવ જેહાદના કેસ અંગે નિકાહ-ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવી ઝડપી પાડવામાં આવ્યો હતો. મૌલવી અબ્દુલ મુસ્તુફા મોહમ્મદ હદિશ પઠાણની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. યુવતીની મરજી વિરુદ્ધ નિકાહ પઢાવી નામ બદલવાનો પણ આક્ષેપ હતો.આ યુવકે ફતેગંજ વિસ્તારમાં હિન્દુ યુવતીને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને યુવકે લગ્ન કરી લીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *